Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ… આ મહિનાના અંત સુધીમાં દર્શન માટે ખુલ્લુ મૂકાશે અયોધ્યામાં રામ મંદિર, ઝડપભેર ચાલી રહ્યું છે મંદિર નિર્માણનું કાર્ય…

અયોધ્યામાં રામ મંદિરનો પ્રથમ તબક્કો 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.

Phase 1 of Ram Mandir to be completed by December

જય શ્રી રામ… આ મહિનાના અંત સુધીમાં દર્શન માટે ખુલ્લુ મૂકાશે અયોધ્યામાં રામ મંદિર, ઝડપભેર ચાલી રહ્યું છે મંદિર નિર્માણનું કાર્ય…

 News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરનું કેટલું બાંધકામ પૂર્ણ થયું? આ અંગે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ ટ્રસ્ટના વડા નૃપેન્દ્ર મિશ્રાએ મહત્વની માહિતી આપી છે. અયોધ્યામાં રામ મંદિરનો પ્રથમ તબક્કો 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.

Join Our WhatsApp Channel

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ભક્તો રામ લલ્લાના દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરી શકશે.  મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં ગ્રાઉન્ડ ફ્લોરના પાંચ મંડવ પૂર્ણ કરવામાં આવશે.

પ્રથમ તબક્કો 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે

મિશ્રાએ કહ્યું કે, ટ્રસ્ટે 30 ડિસેમ્બર, 2023 સુધીમાં પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં ભોંયતળિયાના પાંચ માંડવનું કામ પૂર્ણ થવાનું છે. તેમાં મુખ્ય ગર્ભગૃહ હશે જેમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: જયંત પાટીલ: જયંત પાટીલ આખરે નવ કલાકની પૂછપરછ બાદ ED ઓફિસમાંથી બહાર નીકળ્યા; NCP કાર્યકરોના સૂત્રોચ્ચાર

આ પાંચ માંડવોના નિર્માણ માટે લગભગ 160 થાંભલાની જરૂર છે. તેમજ આઇકોનોગ્રાફીનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મંદિરના સૌથી નીચેના ભાગમાં ભગવાન રામના દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ વીજળી, પાણી જેવી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. આ તમામ કામો 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

30 ડિસેમ્બર 2024 બીજો તબક્કો પૂર્ણ થશે

મંદિરના બીજા તબક્કા વિશે માહિતી આપતા નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, મંદિરનો પહેલો અને બીજો માળ 30 ડિસેમ્બર, 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ વર્ષના અંત સુધીમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાથી રામ ભક્તો રામ લલ્લાના દર્શન કરી શકશે

આ વર્ષના અંત સુધીમાં પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સમગ્ર મંદિરનું કામ ક્યારે પૂર્ણ થશે તે પ્રશ્નના જવાબમાં સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર મંદિરનું કામ પૂર્ણ થઈ જશે.

 

Maharashtra| મહારાષ્ટ્રમાં ગરમી નો પ્રકોપ,લાતૂરમાં ૩ ના મોત, સમગ્ર રાજ્યમાં ૩૯ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version