Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં રહેવા માટે સાંસદોને મળ્યાં નવા ઘર. પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન.. ખોરંભે ચઢેલા બીજા અનેક પ્રોજેકટ થયાં પૂરાં.. જાણો વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું ઉદ્ઘાટન કર્યું. આ નિવાસસ્થાન નવી દિલ્હી સ્થિત ડો.બી.ડી. માર્ગ પર છે. 80 વર્ષથી વધુ જુના આઠ બંગલાઓની જમીન પર સાંસદો માટે કુલ 76 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 


વડા પ્રધાન મોદીએ કહ્યું કે, દાયકાઓથી જે સમસ્યાઓ ચાલી રહી છે, તેને ટાળવાથી નહીં, પરંતું સમાધાનો શોધીને ઉકેલ લાવવો પડે છે. સાંસદોના નિવાસસ્થાન જ નહીં, પરંતુ દિલ્હીમાં આવા ઘણા પ્રોજેક્ટ્સ હતા, જે દાયકાઓથી અધૂરા હતા. જેનું આ સરકાર દરમિયાન નિર્માણ શરૂ થયું અને નિર્ધારિત સમય પૂર્વે સમાપ્ત પણ થયું. અટલજીના સમયમાં, આંબેડકર રાષ્ટ્રીય સ્મારકની ચર્ચા શરૂ થઈ હતી, તે છેક આ સરકારમાં પુરી થઈ છે. 
ઉપરાંત, આ સરકારમાં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. આપણા દેશમાં હજારો પોલીસકર્મીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાનો જીવ આપ્યો છે. તેમની યાદમાં આ સરકારે નેશનલ પોલીસ મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું. આમ નાની નાની સમસ્યાઓ ને લીધે ખોરંભે ચઢેલા અનેક પ્રોજેકટ પૂરાં કરવા એ જ સરકારનું આગળનું લક્ષ છે..

Join Our WhatsApp Channel
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Maharashtra MLC Election Result 2026। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ! વોટિંગ પહેલા જ ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા, જાણો કયા વિસ્તારોમાં મળી જીત.
Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી
Exit mobile version