Site icon

Mahatari Vandan Yojana: પીએમ મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો કરાવ્યો શુભારંભ,પ્રથમ હપ્તાનું કર્યુ વિતરણ; જાણો શું છે આ યોજના

Mahatari Vandan Yojana: પીએમ મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો શુભારંભ કરાવ્યો. મહતારી વંદન યોજના હેઠળ પ્રથમ હપ્તાનું વિતરણ કર્યુ. છત્તીસગઢમાં રાજ્યની લાયક પરિણીત મહિલાઓને માસિક DBT તરીકે દર મહિને રૂ. 1000ની નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના

PM Modi inaugurated the Mahatari Vandan Yojana in Chhattisgarh

PM Modi inaugurated the Mahatari Vandan Yojana in Chhattisgarh

News Continuous Bureau | Mumbai

Mahatari Vandan Yojana:  છત્તીસગઢમાં રાજ્યની લાયક પરિણીત મહિલાઓને માસિક DBT તરીકે દર મહિને રૂ. 1000ની નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના 

Join Our WhatsApp Community

“અમારી સરકાર દરેક પરિવારની સંપૂર્ણ સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અને તેની શરૂઆત મહિલાઓના સ્વાસ્થ્ય અને ગૌરવ સાથે થાય છે.”

છત્તીસગઢમાં ( Chhattisgarh ) મહિલા સશક્તીકરણને ( women empowerment ) મોટું પ્રોત્સાહન આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે મહતારી વંદન યોજનાનો શુભારંભ કર્યો હતો અને આ યોજના હેઠળ પ્રથમ હપ્તો વહેંચ્યો હતો. છત્તીસગઢમાં રાજ્યની પાત્રતા ધરાવતી વિવાહિત મહિલાઓને ( married women ) માસિક ડીબીટી તરીકે દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. મહિલાઓનું આર્થિક સશક્તીકરણ સુનિશ્ચિત કરવા, તેમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા, લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા અને પરિવારમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાને મજબૂત બનાવવાની કલ્પના કરવામાં આવી છે.

આ યોજનાથી રાજ્યની તમામ પાત્ર વિવાહિત મહિલાઓને લાભ મળશે, જેમની ઉંમર 1 જાન્યુઆરી, 2024 સુધી 21 વર્ષથી વધુ છે. વિધવાઓ, છૂટાછેડા લીધેલી અને તરછોડાયેલી મહિલાઓ પણ આ યોજના માટે પાત્ર બનશે. લગભગ 70 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેવી-દેવતાઓ મા દંતેશ્વરી, મા બમ્બલેશ્વરી અને મા મહામાયાને નમન કર્યા હતા. પીએમ મોદીએ તેમની તાજેતરની રાજ્યની મુલાકાતને યાદ કરી હતી જ્યાં તેમણે રૂ. 35,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે સરકારે એકંદરે રૂ. 655 કરોડની રકમની મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો વહેંચીને પોતાનું વચન પૂર્ણ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિવિધ સ્થળોથી જોડાયેલી નારી શક્તિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રત્યક્ષ રીતે હાજર ન રહેવા બદલ માફી માગી હતી. તેમણે ગઈકાલે રાત્રે કાશી વિશ્વનાથ ધામમાં નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી. “તમને આ 1000 રૂપિયા દર મહિને મળશે. આ મોદીની ગેરંટી છે.”

આ સમાચાર પણ વાંચો : Kuno National Park : કુનોમાં ફરી ગુંજી કિલકારી.. માદા ચિત્તા ગામીનીએ આપ્યો 5 બચ્ચાને જન્મ, વિડીયો મન મોહી લેશે.

નમો દીદી કાર્યક્રમ જીવન બદલી રહ્યો છે: પીએમ મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે માતા અને પુત્રીઓ મજબૂત બને છે, ત્યારે પરિવાર મજબૂત બને છે અને માતાઓ અને પુત્રીઓનું કલ્યાણ અમારી સરકારની પ્રાથમિકતા છે.” મહિલાઓના નામે પાકા મકાનો અને ઉજ્જવલા ગેસ સિલિન્ડર મળી રહ્યા છે. 50 ટકા જન ધન ખાતાઓ મહિલાઓના નામે છે, 65 ટકા મુદ્રા લોનનો લાભ મહિલાઓએ લીધો છે, 10 કરોડથી વધુ એસએચજી મહિલાઓને લાભ મળ્યો છે, 1 કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. પ્રધાનમંત્રીએ 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંકનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ તેમને કહ્યું કે નમો દીદી કાર્યક્રમ જીવન બદલી રહ્યો છે અને આવતીકાલે તેઓ આ અંગે એક મોટી ઘટના કરશે.

પ્રધાનમંત્રીએ કુટુંબની સુખાકારીનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ વાત પર ભાર મૂક્યો હતો કે, સ્વસ્થ કુટુંબ તેની મહિલાઓની સુખાકારીમાંથી ઉદ્ભવે છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર દરેક પરિવારની સંપૂર્ણ સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અને તેની શરૂઆત મહિલાઓના સ્વાસ્થ્ય અને ગૌરવ સાથે થાય છે.” તેમણે ગર્ભવતી મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું સમાધાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં માતા અને શિશુ મૃત્યુ દર સામેલ છે.

ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક રસીકરણ

આ પડકારોનો સામનો કરવા માટે પ્રધાનમંત્રીએ કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી હતી, જેમાં ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક રસીકરણ અને સગર્ભા માતાઓને સાથસહકાર આપવા ગર્ભાવસ્થા દરમિયાન રૂ. 5,000ની નાણાકીય સહાય સામેલ છે. તેમણે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ જેવા ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક હેલ્થકેર સેવાઓની જોગવાઈ પર પણ ભાર મૂક્યો હતો.

સ્વચ્છતાની યોગ્ય સુવિધાઓના અભાવને કારણે મહિલાઓને ભૂતકાળમાં વેઠવી પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “હવે એ દિવસો વીતી ગયા છે જ્યારે આપણી બહેનો અને દીકરીઓને તેમના ઘરોમાં શૌચાલયોની ગેરહાજરીને કારણે પીડા અને અપમાન સહન કરવું પડતું હતું.” તેમણે દરેક ઘરમાં શૌચાલય ઉપલબ્ધ કરાવીને મહિલાઓની ગરિમા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે, “સરકાર તેની પ્રતિબદ્ધતાઓ સાથે ઉભી છે અને તેમની પૂર્તિની ખાતરી આપે છે.” તેમણે મહતારી વંદન યોજનાનાં સફળ અમલીકરણ પર ભાર મૂક્યો હતો, જે છત્તીસગઢનાં લોકોને ખાતરીઓ પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : EFTA : ભારત-ઇએફટીએ કરારથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ મળશે, સ્વિસ ઘડિયાળો અને ચોકલેટ પણ થશે સસ્તી.

તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે 18 લાખ પાકા મકાનોની ગેરંટી પર સંપૂર્ણ નિર્ધાર સાથે કામ થઈ રહ્યું છે.

કૃષિ સુધારણાના સંબંધમાં, પ્રધાનમંત્રીએ છત્તીસગઢના ડાંગરના ખેડૂતોને આપેલા વચનનું સન્માન કરીને ખેડૂતોને બાકી રહેલા બોનસની સમયસર ચુકવણી કરવાની ખાતરી આપી હતી. તેમણે અટલજીની જન્મજયંતિનાં પ્રસંગે રૂ. 3,700 કરોડનાં બોનસનાં વિતરણ સહિત ખેડૂતોને સાથસહકાર આપવાનાં સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.

સરકારની ખરીદીની પહેલ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રી મોદીએ પુષ્ટિ આપી હતી કે, “અમારી સરકાર છત્તીસગઢમાં ક્વિન્ટલ દીઠ ₹3,100ના લઘુતમ ટેકાના ભાવે ચોખાની ખરીદી કરશે.” તેમણે 145 લાખ ટન ચોખાની વિક્રમી ખરીદીની ઉજવણી કરી હતી, જેણે ખેડૂતો પ્રત્યેની કટિબદ્ધતા પૂર્ણ કરી હતી અને એક નવી સિદ્ધિ હાંસલ કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સર્વસમાવેશક વિકાસનાં એજન્ડાને આગળ વધારવા માટે તમામ હિતધારકો, ખાસ કરીને મહિલાઓનાં સહિયારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે છત્તીસગઢની જનતાને ભાજપ સરકાર તરફથી સતત સમર્પણ અને સેવા, પોતાનાં વચનો પૂર્ણ કરવા અને તમામ માટે પ્રગતિ સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ, મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા!
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version