Site icon

શિવની કાશીને વડા પ્રધાન મોદીની ‘રુદ્રાક્ષ’ની ભેટ, અધધધ આટલા કરોડના પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે આવ્યા છે. વારાણસીમાં વડા પ્રધાનની આ યાત્રા કુલ 225 દિવસના અંતરાળ બાદ થઈ રહી છે. વારાણસી પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ રુદ્રાક્ષ ઇન્ટરનૅશનલ કન્વેશન સેન્ટરે પહોંચી રુદ્રાક્ષ ઝાડ રોપી સત્તાવાર રીતે સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ વડા પ્રધાને એનું નિરીક્ષણ કરી સંબોધન પણ કર્યું હતું. આ દરમિયાન જાપાનીઝ નિર્માણ પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું.

આ સાથે જાપાનીઝ વડા પ્રધાન યોશિહુદે સુગાનો રેકૉર્ડેડ વીડિયો પણ કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યો હતો. જેમાં તેમણે ભારત-જાપાનના સંબંધો પર વિચાર રજૂ કર્યા અને આ સંબંધોને આગળ પણ મજબૂત રાખી આગળ વધારવા મુદ્દે પોતે કટિબદ્ધ હોવાની વાત કહી હતી. રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર માટે જાપાને 186 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ તારીખે આવશે રાજધાની દિલ્હીની મુલાકાતે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત આ નેતાઓ સાથે મુલાકાત કરશે ; જાણો વિગતે

મહત્ત્વપૂર્ણ છે કે વડા પ્રધાન મોદીએ દરેક પ્રવાસ વખતે કાશીને કરોડો રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આજે પણ રૂા. 1475 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. એમાં સ્વાસ્થ્ય, વિકાસ, જળ, નિગમ, ઊર્જા, સિંચાઈ વગેરે યોજનાઓનો સમાવેશ થાય છે. સાથે જ તેમણે આજે માર્ગ, પેયજળ અને સીવેજ, ગ્રામ વિકાસની અનેક યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા અને BHUમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં બજેટથી તૈયાર થયેલ MCH (મધર ચાઇલ્ડ હેલ્થ) વિંગની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિન્જો આબેએ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન એનો શિલાન્યાસ કર્યો હતો. આ સેન્ટર શિવલિંગના આકારમાં બનેલું છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરની બહાર 108 સાંકેતિક રુદ્રાક્ષ લાગેલા છે, જે ઍલ્યુમિનિયમના છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version