Site icon News Continuous Bureau

પાંચ સદી પછી પાવાગઢ મંદિર પર લહેરાઇ ધજા- PM મોદીએ માતાના શિખર પર ધ્વજારોહણ કર્યું-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે. આજે સવારે માતા હીરાબા(Hiraba)ને મળ્યા બાદ PM મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ(Pavagadh)ની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતા(Mahakali Temple)ના દર્શન કરીને તેમણે વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ શિખર પર ધ્વજારોહણ(Flag hoisting) કર્યું… જુઓ વિડીયો..

Join Our WhatsApp Community

 

 

ઉલ્લેખનીય છે કે, 500 વર્ષ પહેલાં આ મંદિર પર ચઢાઈ થઈ હતી અને 5 સદીથી મંદિર(Temple)નું શિખર જર્જરિત(Dilapidated) થઈ ગયું હતું. હવે આ શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. માતાજીના જૂના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ(Dargah) હતી તેને સમજાવટપૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે તથા તેના પર ધ્વજદંડ (Flagpole) પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે 500 વર્ષ બાદ પાવાગઢમાં માતા કાલિકા(Mata Kalika temple)ના શિખર પર ધ્વજારોહણ થયુ છે. 

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version