Site icon

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાનની મુશ્કેલીમાં વધારોઃ કોર્ટે હવે આપ્યો આ આદેશ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

 શનિવાર.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 100 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેના EDને આપેલા જવાબથી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમાં હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે હવે અનિલ દેશમુખના બે પુત્રો સામે આંખ લાલ કરી છે.. વિશેષ અદાલતે શુક્રવારે અનિલ દેશમુખ, તેમના બંને પુત્રોને અને સંબંધીઓને નાણાકીય ગેરરીતિના કેસમાં 5 એપ્રિલ પહેલા કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ અગાઉ EDએ અનિલ દેશમુખ, તેમના પુત્રો હૃષીકેશ અને સાહિલ દેશમુખ અને અન્ય નવ લોકો સામે વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટની નોંધ લેતા, વિશેષ અદાલતે શુક્રવારે સંબંધિત વ્યક્તિઓને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા વર્ષે 2 નવેમ્બરે અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અનિલ દેશમુખ જેલમાં છે. તેણે PMLA કોર્ટ સમક્ષ જામીન માટે અનેક અરજીઓ કરી હતી. જોકે, દરેક વખતે તેની વિનંતી ફગાવી દેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં ગોઝારો શનિવાર, સ્પીડ બ્રેકરથી ઉછળ્યા બાદ ટ્રકમાં ઘૂસી ગઈ કાર; અકસ્માતમાં આટલા લોકો થયા કરુણ મોત

સીતારામ કુંટે બાદ હવે સચિન વાઝે પણ અનિલ દેશમુખને EDને ચોંકાવનારી કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. અનિલ દેશમુખે જ મને પોલીસ દળમાં પાછા ફરવાનું સૂચન કર્યું હતું. રાજ્ય સરકારમાં ઘણા વરિષ્ઠ નેતાઓ આ માટે તૈયાર ન હતા. જો કે, હું તેમને સમજાવીશ એવું  અનિલ દેશમુખે મને કહ્યું હતું. અનિલ દેશમુખે પોલીસ દળમાં ફરી જોડાવા માટે 2 કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી. પરંતુ, મેં અનિલ દેશમુખને જાણ કરી હતી કે મને આટલી રકમ ચૂકવવી શક્ય નથી. જો કે, અનિલ દેશમુખે મને પરમબીર સિંહને ફરીથી પોલીસ દળમાં જોડાવા માટે વિનંતી કરવાનું કહ્યું. ત્યારપછી અનિલ દેશમુખની ઈચ્છા મુજબ હું ફરી પોલીસ ફોર્સમાં જોડાયો, એવું સચિન વાઝે EDને જણાવ્યું હતું.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version