Site icon

Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.

Muslim Reservation Maharashtra:૨૦૧૪ના વટહુકમ આધારિત તમામ આદેશો હવે બિનઅસરકારક: હાઈકોર્ટના જૂના સ્ટે અને લેપ્સ થયેલા વટહુકમનો હવાલો આપી સરકારે લીધો નિર્ણય; વિપક્ષ દ્વારા આક્રમક આંદોલનની ચીમકી.

Muslim Reservation Maharashtra મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો

Muslim Reservation Maharashtra મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો

News Continuous Bureau | Mumbai
Muslim Reservation Maharashtra:મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ વર્ગને આપવામાં આવતા ૫% આરક્ષણ સાથે જોડાયેલા તમામ જૂના શાસન નિર્ણયો (GR) અને પરિપત્રો રદ કરી દીધા છે. સરકારના આ નિર્ણયથી હવે મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય કોલેજોમાં આ ક્વોટા હેઠળ પ્રવેશ મળી શકશે નહીં. આ જાહેરાત બાદ AIMIM ના પ્રદેશ અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે સરકાર પર કટાક્ષ કરતા તેને મુસ્લિમો માટે ‘રમઝાનની ભેટ’ ગણાવી છે.ઇમ્તિયાઝ જલીલે એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, “સરકારે એવા સમયે આરક્ષણ ખતમ કર્યું છે જ્યારે હાઈકોર્ટે પોતે સ્વીકાર્યું હતું કે મુસ્લિમોમાં શિક્ષણ છોડવાનો દર સૌથી વધુ છે. તેમ છતાં અમે યુવાનોને કહીશું કે ભણવાનું છોડશો નહીં.”

શા માટે રદ કરાયું આરક્ષણ? (ઐતિહાસિક સંદર્ભ)

વર્ષ ૨૦૧૪માં એક વટહુકમ દ્વારા મુસ્લિમોને વિશેષ પછાત પ્રવર્ગ (SBC-A) હેઠળ ૫% આરક્ષણ અપાયું હતું. મુંબઈ હાઈકોર્ટે નવેમ્બર ૨૦૧૪માં તેના પર સ્ટે આપ્યો હતો. આ વટહુકમ ૨૩ ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં કાયદામાં રૂપાંતરિત ન થઈ શકતા તે પોતે જ રદ (Lapse) થઈ ગયો હતો. હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે જૂના વટહુકમના આધારે જે પણ જાતિ પ્રમાણપત્રો કે આદેશો બહાર પડ્યા હતા તે હવે પ્રભાવી રહેશે નહીં.

Join Our WhatsApp Community

લઘુમતી સંસ્થાઓના દરજ્જા પર પણ રોક

રાજ્યના રાજકારણમાં આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ૭૫ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને અપાયેલા દરજ્જા પર પણ રોક લગાવી દીધી હતી. અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયોમાં જે ફેરફાર જોવા મળી રહ્યા છે તેને લઈને મુસ્લિમ નેતાઓ અને સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ashwini Vaishnaw: માતા-પિતા માટે મોટા સમાચાર! ભારત સરકાર સોશિયલ મીડિયાના નિયમોમાં કરી શકે છે ધરખમ ફેરફાર; જાણો અશ્વિની વૈષ્ણવે શું કહ્યું

વિદ્યાર્થીઓ અને યુવાનો પર શું અસર થશે?

આ નિર્ણયથી મુસ્લિમ સમુદાયના હજારો વિદ્યાર્થીઓ કે જેઓ આરક્ષણના આધારે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવાની આશા રાખતા હતા, તેમના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. નવા જાતિ પ્રમાણપત્રો કે વેલિડિટી સર્ટિફિકેટ હવે જારી કરવામાં આવશે નહીં. AIMIM અને અન્ય વિપક્ષી પાર્ટીઓ આગામી દિવસોમાં આ મુદ્દે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.

Emmanuel Macron: ‘AI માટે અમેરિકા કે ચીનનો સહારો કેમ?’: દિલ્હીથી રાષ્ટ્રપતિ મેક્રોને ભારત સાથે મળીને દુનિયાને આપ્યો પાવરફુલ મેસેજ.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Exit mobile version