Site icon News Continuous Bureau | Mumbai

Prayagraj Student Protest : પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓના વિરોધ સામે સરકાર ઝુકી, સ્વીકારી આ માંગણીઓ..

Prayagraj Student Protest :કમિશન (UPPSC) એ PCS, RO અને AROની પ્રારંભિક પરીક્ષાઓ બે દિવસમાં લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવે PCSની પરીક્ષા પહેલાની જેમ 1 દિવસમાં લેવામાં આવશે.

Prayagraj Student Protest UP Takes Job Exam Decision Amid Prayagraj Protest, Students Say Not Enough

Prayagraj Student Protest UP Takes Job Exam Decision Amid Prayagraj Protest, Students Say Not Enough

News Continuous Bureau | Mumbai

Prayagraj Student Protest :ઉત્તર પ્રદેશમાં પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસ સામે 4 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા 10 હજાર વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે. વિદ્યાર્થીઓ અને રાજકીય દબાણ સામે સરકારને ઝુકવું પડ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે વિદ્યાર્થીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. બે પાળીમાં પરીક્ષા યોજવાની યોજના પાછી ખેંચી લેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

Prayagraj Student Protest : UPPSC એક દિવસમાં પ્રારંભિક પરીક્ષા લેશે. 

પબ્લિક સર્વિસ કમિશનના સચિવ અશોક કુમારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, ‘UPPSC એક દિવસમાં પ્રારંભિક પરીક્ષા લેશે. આયોગ સમીક્ષા અધિકારી/સહાયક સમીક્ષા અધિકારી (RO/ARO) પરીક્ષા-2023 માટે એક સમિતિની રચના કરશે. કમિટી તમામ પાસાઓ પર વિચાર કરશે અને તેનો વિગતવાર અહેવાલ રજૂ કરશે. ત્યારબાદ પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહારાષ્ટ્રમાં ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર અંગે ભાજપને ઝટકો, કોઈએ સલાહ આપી તો કોઈએ ઊઠાવ્યાં સવાલો.. જાણો કોણે શું કહ્યું…

Prayagraj Student Protest : વિદ્યાર્થીઓ તોડીને ઓફિસ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો 

ઉલ્લેખનીય છે કે ચોથા દિવસે જાહેર સેવા આયોગની બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે પોલીસ બેરીકેટ્સ દ્વારા સ્પર્ધક વિદ્યાર્થીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ વિદ્યાર્થીઓ તોડીને ઓફિસ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.  આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ બેરિકેડ પર ચઢી ગયા હતા. જ્યારે પોલીસ સુરક્ષા દળોએ જવાબ આપવાનું શરૂ કર્યું, ત્યારે સ્થળ પર તૈનાત મોટી સંખ્યામાં પોલીસ અને પીએસીના જવાનોએ લાઠીચાર્જ કર્યો હતો.

 

 

IAF An32 Crash in Jorhat આસામના જોરહાટમાં વાયુસેનાનું An32 વિમાન ક્રેશ પાંચ વીર જવાનો શહીદ, કોપાયલટ સુરક્ષિત.
CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Exit mobile version