Site icon

ભૂતકાળના અને વર્તમાનના મંત્રીઓ પાછા એકસાથે બેસી શકે છે, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ભૂકંપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડીનું શાસન ચાલી રહ્યું છે. એમાં દર બીજા દિવસે ભાજપના નેતાઓ આ સરકાર તૂટી પડવાની ભવિષ્યવાણી કરતા હોય છે. એવામાં રાજ્યના મરાઠવાડામાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભૂતકાળ અને વર્તમાનના મંત્રીઓ પાછા એક છત હેઠળ આવી શકે છે એવું નિવદેન આપતાં રાજકીય સ્તરે ખળભળાટ મચી ગયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે અને અર્થ રાજ્યમંત્રી ભાગવત કરાડ પણ હાજર હતા. 

પ્રામાણિકતાની કસોટીમાં મુંબઈના નાગરિકોનો વિશ્વમાં બીજો નંબર આવ્યો, આ રીતે થઈ હતી મુંબઈવાસીઓની પરીક્ષા
કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ ભાષણ દરમિયાન વર્તમાન અને ભૂતકાળના નેતાઓ એક થાય તો ભવિષ્યમાં સહકારી બની શકે છે. જોકે તેના વિશે આવનારો સમય જ નક્કી કરશે, એવી ટિપ્પણી તેમણે ભાજપના નેતાઓ તરફ જોઈને કરી હતી. તેમના આ નિવેદનથી ભાજપ અને શિવસેના ફરી એકસાથે આવશે અને મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડશે એવું દિવસભર રાજકીય સ્તરે ચર્ચાતું રહ્યું હતું. અનેક તર્કવિર્તક વચ્ચે મુખ્ય પ્રધાનના આ ચોંકાવનારા નિવેદન બાબતે મહાવિકાસ આઘાડીના નેતાઓએ તેમની સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે એવો દાવો કર્યો હતો. 

Join Our WhatsApp Community
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version