Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાનના મુ.મંત્રી અશોક ગેહલોતનું મોટું નિવેદન : કૃષિ સંબંધિત ત્રણે બિલ ગેરબંધારણીય.. રાષ્ટ્રપતિ વિશે તેમણે શું કહ્યું તે પણ જાણો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ડિસેમ્બર 2020 

દેશભરમાં હાલ કૃષિ ના નવા કાયદા વિરુદ્ધ કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. તેવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતએ મોટું નિવેદન આપ્યું છે. આ નેતાનું કહેવું છે કે ત્રણેય બિલ સંસદમાં ગેરબંધારણીય રીતે પસાર થયાં છે. આમ કોંગ્રેસ કિસાન મુદ્દે સતત ભાજપને ઘેરવાનો પ્રસાય કરી રહી છે. પોતાના રાજ્યમાં પણ સીએમ અશોક ગેહલોત ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.  

ગેહલોતે કહ્યું કે, "તેમણે કૃષિ કાયદાઓ અંગે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ રાષ્ટ્રપતિએ તેમને મળવા માટે સમય આપ્યો ન હતો." કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાતોની સલાહ લીધા વિના ત્રણેય કૃષિ બિલ બનાવ્યા હતા. અને, બહુમતીના આધારે કોઈપણ ચર્ચા વિના સંસદમાં તેમને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે વિપક્ષ આ બિલને પસંદગી સમિતિમાં મોકલીને ચર્ચાની માંગ કરી રહ્યા હતા. 

 

વીપક્ષનો દાવો છે કે કેન્દ્ર દ્વારા આ બીલો અંગે કોઈની સાથે ચર્ચા નહોતી થઈ, જેના કારણે આખા દેશના ખેડુતો આજે રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. 

પહેલા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતો સાથે વાત કરવા રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો. 

ત્યારબાદ કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે કહ્યું હતું જેથી તેઓ ખેડૂતોની વાતો રાખી શકે. રાષ્ટ્રપતિએ હજી સમય આપ્યો નથી. તએમનું કહેવું છે કે આ પાછળ રાષ્ટ્રપતિની થોડી લાચારી હોય શકે છે. કેન્દ્ર દ્વારા તુરંત જ ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવા જોઈએ. માફી માંગવી જ જોઇએ, એમ પણ ગેહલોતએ કહ્યું છે..

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version