Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાનના મુ.મંત્રી અશોક ગેહલોતનું મોટું નિવેદન : કૃષિ સંબંધિત ત્રણે બિલ ગેરબંધારણીય.. રાષ્ટ્રપતિ વિશે તેમણે શું કહ્યું તે પણ જાણો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ડિસેમ્બર 2020 

દેશભરમાં હાલ કૃષિ ના નવા કાયદા વિરુદ્ધ કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. તેવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતએ મોટું નિવેદન આપ્યું છે. આ નેતાનું કહેવું છે કે ત્રણેય બિલ સંસદમાં ગેરબંધારણીય રીતે પસાર થયાં છે. આમ કોંગ્રેસ કિસાન મુદ્દે સતત ભાજપને ઘેરવાનો પ્રસાય કરી રહી છે. પોતાના રાજ્યમાં પણ સીએમ અશોક ગેહલોત ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.  

ગેહલોતે કહ્યું કે, "તેમણે કૃષિ કાયદાઓ અંગે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ રાષ્ટ્રપતિએ તેમને મળવા માટે સમય આપ્યો ન હતો." કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાતોની સલાહ લીધા વિના ત્રણેય કૃષિ બિલ બનાવ્યા હતા. અને, બહુમતીના આધારે કોઈપણ ચર્ચા વિના સંસદમાં તેમને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે વિપક્ષ આ બિલને પસંદગી સમિતિમાં મોકલીને ચર્ચાની માંગ કરી રહ્યા હતા. 

 

વીપક્ષનો દાવો છે કે કેન્દ્ર દ્વારા આ બીલો અંગે કોઈની સાથે ચર્ચા નહોતી થઈ, જેના કારણે આખા દેશના ખેડુતો આજે રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. 

પહેલા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતો સાથે વાત કરવા રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો. 

ત્યારબાદ કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે કહ્યું હતું જેથી તેઓ ખેડૂતોની વાતો રાખી શકે. રાષ્ટ્રપતિએ હજી સમય આપ્યો નથી. તએમનું કહેવું છે કે આ પાછળ રાષ્ટ્રપતિની થોડી લાચારી હોય શકે છે. કેન્દ્ર દ્વારા તુરંત જ ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવા જોઈએ. માફી માંગવી જ જોઇએ, એમ પણ ગેહલોતએ કહ્યું છે..

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version