Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યએ આપી અભિભાવકોને છૂટ, શાળા ન ખુલે ત્યાં સુધી સ્કૂલ ફી ભરવાની નથી. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

રાજસ્થાન

Join Our WhatsApp Channel

8 જુલાઈ 2020

રાજસ્થાન સરકારે ખાનગી શાળાઓની ફી માફીની તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. લોકડાઉન ને કારણે માતા-પિતાને જે ફટકો પડયો છે તેને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે શાળાઓની ફી માફ કરવાના આદેશને વધાર્યો છે. આ આદેશ, શાળાઓ ફરીથી ન ખુલે ત્યાં સુધી અમલમાં રહેશે. અગાઉનો આદેશ 30 જૂન સુધી લાગુ હતો. સરકારે જણાવ્યું હતું કે તેના તમામ નિર્ણય, કોરોનાવાયરસની હાલની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે દેશભરમાં સ્કૂલની ફી ઘટાડવા અથવા રદ કરવા માટે વાલીઓ આંદોલન ચલાવી રહ્યા છે. વાસ્તવિક રીતે વર્ગખંડમાં ભણતર ન હોવાથી, માતાપિતાએ દલીલ કરી છે કે શાળાની ફી અને અન્ય ચાર્જને તર્કસંગત બનાવવી આવશ્યક છે. આજકાલ જ્યારે શાળાઓ ઓનલાઇન વર્ગો લઈ રહી છે એવા સમયગાળા માટે ખાનગી શાળાઓને ફક્ત ટ્યુશન ફી વસૂલવાના નિર્દેશ સરકારે આપવા જોઈએ એવી વાલીઓની માંગ રહી છે. નવા સત્ર માટે વર્ગો શરૂ થયા છે, ત્યારે શાળાઓ અને કોલેજોમાંના તમામ શારીરિક વર્ગો સ્થગિત કરી દેવાયા છે. છેલ્લા આદેશ મુજબ દેશની શાળાઓ અને કોલેજો 31 જુલાઈ સુધી બંધ રહેશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Shinde Targets Thackeray રામ મંદિર દાન વિવાદ ઠાકરે પર શિંદેનો મોટો પલટવાર, સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરીનો લગાવ્યો ગંભીર આરોપ
MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Exit mobile version