Site icon

મહારાષ્ટ્ર : શું ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમો દ્વારા ધૂપ ચઢાવવાની પરંપરા છે?, સાંસદ સંજય રાઉતના દાવાને નકારી કાઢ્યા ભાજપ નેતાએ. જાણો શું છે સમગ્ર મામલો?

આચાર્ય તુષાર ભોસલેએ કહ્યું કે ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ધૂપ ચઢાવવાની ઘટનાને લઈને રાજ્યમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. ઠાકરે ગ્રુપના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે મંદિરની સામે ધૂપ ચઢાવવાની પ્રથા ૧૦૦ વર્ષ જૂની છે.

Provide proof of dhoop at Trimbakeshwar temple steps BJP to Sena(UBT)

મહારાષ્ટ્ર : શું ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમો દ્વારા ધૂપ ચઢાવવાની પરંપરા છે?, સાંસદ સંજય રાઉતના દાવાને નકારી કાઢ્યા ભાજપ નેતાએ. જાણો શું છે સમગ્ર મામલો?

News Continuous Bureau | Mumbai

ત્ર્યંબકેશ્વર મંદિરમાં ચંદનનું આયોજન કરતી મંડળી તરફથી ધૂપ ચઢાવવાની કોઈ પરંપરા ન હતી ત્યારે કેટલાક લોકો મંદિરમાં પ્રવેશવાનો આગ્રહ કરતા હોવાથી મંદિર સમિતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તદનુસાર, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરી છે અને ચાર સામે કેસ નોંધવામાં આવ્યો છે, એમ સોમવારે ભારતીય જનતા પાર્ટીની આધ્યાત્મિક પાંખના કન્વીનર આચાર્ય તુષાર ભોંસલેએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા ગણેશ હાકે, મીડિયા વિભાગના સહ કન્વીનર ઓમપ્રકાશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરની સામે ધૂપ ચઢાવવાની ૧૦૦ વર્ષ જૂની પરંપરા હોવાનો દાવો કરતા સાંસદ સંજય રાઉતે આના પુરાવા આપવા જોઈએ. તેવો આચાર્ય ભોંસલેએ પડકાર ફેંક્યો છે.

Join Our WhatsApp Community

આચાર્ય તુષાર ભોસલેએ કહ્યું કે ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ધૂપ ચઢાવવાની ઘટનાને લઈને રાજ્યમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. ઠાકરે ગ્રુપના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે મંદિરની સામે ધૂપ ચઢાવવાની પ્રથા ૧૦૦ વર્ષ જૂની છે. સાં. રાઉતનો આ દાવો તદ્દન ખોટો છે. આ ઘટના અંગે સ્થાનિક શાંતિ સમિતિએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. તે પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરની બહાર ચોકમાં ધૂપ ચઢાવવાનો રિવાજ છે. જ્યારે આ કિસ્સો છે, ત્યારે કેટલાક લોકો કોઈ કારણ વગર આ ચર્ચાને અલગ વળાંક આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : G-20 સમિટમાં ભાગ લીધો અભિનેતા રામ ચરણે, વિદેશી મહેમાનો સાથે નાટૂ-નાટૂ ગીત પર થીરકાવ્યા પગ, જુઓ વીડિયો..

દરેક મંદિર, ધાર્મિક સ્થળે પ્રવેશને લઈને અલગ-અલગ નિયમો હોય છે. ત્ર્યંબકેશ્વર મંદિરમાં કોને પ્રવેશ આપવો તે અંગે મંદિર સમિતિએ નિયમો બનાવ્યા છે. આ મંદિરમાં પ્રવેશ કરીને ધૂપ ચઢાવવાની કોઈ પરંપરા નહોતી. જ્યારે ચોકમાં ધૂપ ચઢાવવાની પરંપરા છે, ત્યારે આ વર્ષે કેટલાક વ્યક્તિઓએ મંદિરમાં પ્રવેશીને ધૂપ ચઢાવવાનો આગ્રહ રાખ્યો હતો, જેથી મંદિર સમિતિએ તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસના ચાર આરોપીઓમાંના એક સલમાન અકીલ સૈયદ પર ૨૦૧૮માં એક સગીર છોકરીની જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેની સામે નાસિક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ઉરુસના કેટલાક આયોજકો ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ હોવાનું સ્થાનિક નાગરિકોએ કહ્યું છે, તેવી માહિતી પણ આચાર્ય ભોંસલેએ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આ માહિતી વિશેષ તપાસ સમિતિ (એસઆઇટી)ને આપીશું.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version