Site icon News Continuous Bureau | Mumbai

  Pune Bridge Collapse News:પુણે અકસ્માત બાદ સફાળું જાગ્યું વહીવટીતંત્ર,  આવી ઘટનાઓને રોકવા માટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપ્યો આ આદેશ.. 

Pune Bridge Collapse News:પુણે જિલ્લાના માવલ તહસીલમાં તાલેગાંવ નજીક કુંડમાલામાં ઈન્દ્રાયણી નદી પરનો એક જૂનો પુલ તૂટી પડ્યો. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે, નાયબ મુખ્યમંત્રી શિંદેએ મુખ્ય સચિવ સુજાતા સૌનિક સાથે ફોન પર ચર્ચા કરી અને રાજ્યમાં આવા જૂના પુલોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો. 

Pune Bridge Collapse News Eknath Shinde Orders Structural Audit After Bridge Collapse Near Pune

Pune Bridge Collapse News Eknath Shinde Orders Structural Audit After Bridge Collapse Near Pune

News Continuous Bureau | Mumbai

 Pune Bridge Collapse News:પુણેના માવલ તાલુકાના તાલેગાંવ દાભાડે શહેર નજીક પ્રખ્યાત પર્યટન સ્થળ કુંડમાલા ખાતે ઈન્દ્રાયણી નદી પર બનેલો જૂનો પુલ તૂટી પડ્યો. આ અકસ્માત રવિવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બન્યો હતો. નદીના ઝડપી પ્રવાહને જોવા અને સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પુલ પર એકઠા થયા હતા. આ દરમિયાન ઘણા ટુ-વ્હીલર પસાર થયા અને પુલ અચાનક તુટી ગયો અને નદીમાં ખાબકયો. સ્થાનિક ધારાસભ્ય સુનીલ શેલ્કેના જણાવ્યા અનુસાર, 6 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 25 થી 30 લોકો વહી ગયા છે.

Join Our WhatsApp Channel

 Pune Bridge Collapse News:

પુણેમાં થયેલા અકસ્માત બાદ, મહારાષ્ટ્ર ની મહાયુતિ સરકાર સતર્ક થઈ ગઈ છે.આવી ઘટનાઓને રોકવા માટે, નાયબ મુખ્યમંત્રી શિંદેએ મુખ્ય સચિવ સુજાતા સૌનિક સાથે ફોન પર ચર્ચા કરી છે અને રાજ્યમાં આવા જૂના પુલોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અકસ્માતમાં મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

 Pune Bridge Collapse News:અકસ્માત થયો ત્યારે લોકો ફરવા માટે આવ્યા હતા

NDRF અને SDRF ટીમો નદીમાં વહી ગયેલા પ્રવાસીઓને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અકસ્માત સમયે પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ હતા. ખરેખર, માવલ તાલુકામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીનું પાણીનું સ્તર વધી ગયું હતું. રવિવાર હોવાથી ઘણા લોકો કુંડમાલાની મુલાકાત લેવા આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! આ ફ્લાયઓવર આજથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે; મુસાફરી થશે વધુ ઝડપી..

 Pune Bridge Collapse News:5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના અંગે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં તેમણે વિભાગીય કમિશનર, તહસીલદાર અને પોલીસ કમિશનરને તાત્કાલિક બચાવ કાર્ય સુનિશ્ચિત કરવા અને નદીમાં વહી ગયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. ઈન્દ્રાયણી નદી પર થયેલા પુલ દુર્ઘટનામાં, મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પર, રાજ્ય સરકાર પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. આ ઉપરાંત, ઘાયલોની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે.

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
FDA Bans Junk Food School Canteens હવે શાળાની કેન્ટીનમાં નહીં મળે પિઝાબર્ગર! મહારાષ્ટ્ર FDA નો કડક આદેશ, લાયસન્સ વગર ચાલતી કેન્ટીનો પર થશે આ કાર્યવાહી!
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Exit mobile version