Site icon

મંદિર ખોલવા માટે પ્રદર્શન! ભાજપ અધ્યક્ષ અને પુણેના મેયર મોહોલ મુરલીધર સામે ફરિયાદ દાખલ, કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનનો આરોપ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

પોલીસ દ્વારા રાજ્યના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ આ નેતાઓએ 30 ઓગસ્ટના રોજ રાજ્યમાં મંદિર ફરીથી ખોલવાની માંગ સાથે પ્રદર્શન કર્યુ હતુ, જેમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ભાજપે સોમવારે રાજ્યમાં મંદિરો ખોલવા માટે મુંબઈ, થાણે, પુણે, નાસિક, નાગપુર, પંઢરપુર, ઔરંગાબાદ અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

વિરોધ દરમિયાન સરકારનું ધ્યાન ખેંચવા માટે ઘંટ અને શંખ વગાડ્યા. આ દરમિયાન ઘણા ભાજપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

જોકે ભાજપના વિરોધ બાદ પણ સરકાર કોરોનાના સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મંદિર ન ખોલવા માટે મક્કમ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં મંદિરો એક વર્ષથી વધુ સમયથી બંધ છે. 

જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ,સાવચેતી માટે ઘાટીમાં આ સેવાઓ બંધ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version