Site icon

પંજાબ પોલીસે આદેશ આપ્યો, 72 કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી બંદૂક દર્શાવતો કન્ટેન્ટ હટાવો

 News Continuous Bureau | Mumbai

પંજાબ (Punjab) માં છેલ્લા કેટલાક મહિનામાં ગન કલ્ચરમાં (Gun culture) ઝડપથી વધારો થયો છે. જેના કારણે રાજ્યમાં ગુનાખોરી પણ વધી રહી છે. તેને રોકવા માટે હવે પંજાબની ભગવંત માન સરકારે (Bhagwant Man Govt) કમર કસી લીધી છે. પંજાબના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે તેમના સોશિયલ મીડિયા કન્ટેન્ટમાંથી બંદૂકનો પ્રચાર કરતો કન્ટેન્ટ કાઢી નાખવો જોઈએ. નવા આદેશ અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હથિયારોના મહિમા માટે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવશે નહીં, પરંતુ તે પછી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, આ સંદર્ભમાં, પંજાબના પોલીસ મહાનિર્દેશકે લોકોને આગામી 72 કલાકમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાંધાજનક કન્ટેન્ટને જાતે જ દૂર કરવાની અપીલ કરી છે. આ સમયગાળા પછી પણ જો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા હેન્ડલ હથિયારોની પ્રશંસા બતાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ડીજીપી ગૌરવ યાદવે પોતે આ આદેશને મંજૂરી આપી છે અને ટ્વિટ કરીને જાણ કરી છે.

આ સમાચાર પણ વાંચો: ૨૮ કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન, વિશ્વમાં સૌથી મોંઘા ઇન્જેક્શન ને મંજૂરી મળી. આ લાઈલાજ બીમારીનો ઈલાજ હવે શક્ય છે.

નોંધનીય છે કે પંજાબમાં હત્યાઓ પછી, ભગવંત માન સરકારે ગન કલ્ચરને ખતમ કરવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક જોગવાઈઓ સ્થાપિત કરી છે. આ નવા આદેશ મુજબ કલ્ચર અને હિંસાને વખાણતા ગીતો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સાર્વજનિક સમારોહ, ધાર્મિક સ્થળો, લગ્ન સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં હથિયાર રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોઈપણ સમુદાય વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની સૂચના આપવામાં આવી છે.

પંજાબ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, સોશિયલ મીડિયા (Social Media)  પર સતત હથિયાર પ્રદર્શિત કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે, હવે પોલીસે જૂની પોસ્ટને હટાવવા માટે લોકોને થોડી રાહત આપી છે. જો કે, પોલીસે એમ પણ કહ્યું છે કે આ સમયગાળા પછી, જો બંદૂક સંબંધિત કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર દેખાશે, તો યુઝર સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  બોર્ડર ઈશ્યુ.. મુંબઈ શહેરના બસ સ્ટોપ પર લાગેલા કર્ણાટકના સીએમના પોસ્ટર ફેંકાઈ પર કાળી શાહી…

Ahilyanagar Municipal Election 2026: અહિલ્યાનગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: શિંદે સેનાના ૫ ઉમેદવારો રેસમાંથી બહાર, જાણો કયા કારણોસર ફોર્મ રદ થયા અને હવે શું છે રણનીતિ?.
BMC Election 2026 Scrutiny: BMC ચૂંટણીમાં ૨,૨૩૧ ઉમેદવારો મેદાનમાં: ચકાસણી દરમિયાન માત્ર ૧૬૭ ફોર્મ રદ થયા; જાણો હવે ક્યારે થશે ચિન્હોની ફાળવણી.
BMC Election 2026 Seat Sharing: મહાયુતિમાં ભંગાણના સંકેત! બેઠકોની વહેંચણીમાં રામદાસ આઠવલેએ માંગ્યો મોટો હિસ્સો, શું શિંદે અને ભાજપ ઝૂકશે?.
Maharashtra Municipal Election 2026: મહાયુતિમાં ભડકો! અનેક પાલિકાઓમાં ભાજપ અને શિંદે સેના આમને-સામને, બળવાખોરોએ વધારી બંને પક્ષની ચિંતા; જાણો ક્યાં કેવો માહોલ?.
Exit mobile version