Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીના રસ્તા પર ફરવા નીકળ્યા રાહુલ ગાંધી, ખાધી પાણીપુરી અને તરબૂચ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતા. પહેલા તેમનું સંસદપદ જવાની ચર્ચા હતી, ત્યારબાદ તેમને તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.

Rahul Gandhi went for a walk on the streets of Delhi

Rahul Gandhi went for a walk on the streets of Delhi

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતા. પહેલા તેમનું સંસદપદ જવાની ચર્ચા હતી, ત્યારબાદ તેમને તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ 24 એપ્રિલ સુધીમાં તેમનું 12, તુગલક લેન નિવાસસ્થાન ખાલી કરવાનું હતું, પરંતુ તે પહેલા તેઓ તેમની માતા સોનિયા ગાંધીના 10, જનપથ ખાતેના બંગલામાં શિફ્ટ થઈ ગયા.

Join Our WhatsApp Channel

બંગાળી બજારમાં પાણીપુરી ખાધી 

દરમિયાન, મંગળવારે રાહુલ ગાંધી દિલ્હીના રસ્તા પર ફરતા અને લારીઓ પર ખાતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ બંગાળી માર્કેટમાં પાણીપુરી સહિત અનેક વાનગીઓ ખાધી. આ પછી તેઓ જૂની દિલ્હીની જામા મસ્જિદ ગયા. જ્યાં તેમણે તરબૂચ પણ ખાધું હતું. જણાવી દઈએ કે રમઝાનના કારણે જામા મસ્જિદમાં સામાન્ય કરતા વધુ ભીડ હતી અને રાહુલ ગાંધીએ આ ભીડ સાથે મુલાકાત પણ કરી. 

આ સમાચાર પણ વાંચો: કોરોનાનો ભય હજુ ગયો નથી! 10,542 નવા કેસ આવ્યા, સક્રિય દર્દીઓની સંખ્યા 63,562

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નંદિની બ્રાન્ડનો આઈસ્ક્રીમ ખાધો

બીજી તરફ, રવિવાર, 16 એપ્રિલે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી કર્ણાટકની સ્થાનિક દૂધ બ્રાન્ડ નંદિનીના મિલ પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખાતા જોવા મળ્યા હતા. આ અંગેની ટ્વીટમાં તેણે લખ્યું કે, “કર્ણાટકનું ગૌરવ – નંદિની શ્રેષ્ઠ છે!” આપને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની મિલ બ્રાન્ડ અમૂલ અને કર્ણાટકની મિલ્ક બ્રાન્ડ નંદિનીનો મુદ્દો મોટો રૂપ ધારણ કરી ચૂક્યો છે.

 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
Exit mobile version