Site icon News Continuous Bureau | Mumbai

 Rain fury in Uttarakhand:ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, કેદારનાથ રોડ પર ફસાયા અનેક યાત્રાળુ; વાયુ સેના આવી મદદે.. બચાવ કાર્ય શરુ…

 Rain fury in Uttarakhand:ચાર ધામ યાત્રાએ ગયેલા શિવપુરી જિલ્લાના બદરવાસના કેટલાક ભક્તો કેદાર ધામની ફૂટપાથ પર વાદળ ફાટવાને કારણે રસ્તામાં જ ફસાઈ ગયા હતા. ગુરુવારે, આ 48 શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાઈ ગયા પછી, તેમને હેલિકોપ્ટર દ્વારા બચાવ્યા અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા.

Rain fury in Uttarakhand Over 700 pilgrims stranded on Kedarnath route evacuated 

Rain fury in Uttarakhand Over 700 pilgrims stranded on Kedarnath route evacuated 

 News Continuous Bureau | Mumbai 

Rain fury in Uttarakhand: કેરળ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ જે ભૂસ્ખલન થયું છે તેણે બધાને ડરાવી દીધા છે. વરસાદના કારણે દિલ્હીમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ અને પરિણામે આફતોએ આપણી કસોટી શરૂ કરી દીધી છે.

Join Our WhatsApp Channel

Rain fury in Uttarakhand:

વાયનાડની વાત કરીએ તો અહીં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 291 લોકોના મોત થયા છે. 200 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. કેરળના મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે 225 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના છે. મંત્રીનું કહેવું છે કે બચાવ કાર્યમાં ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે.

Rain fury in Uttarakhand:14 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા 

 ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે ભારે નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો  :  Rahul Gandhi on ED Raid: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધરાતે કરેલી આ એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, મોટો દાવો કરતા કહ્યું- ચક્રવ્યુહવાળા ભાષણ બાદ…

બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે લીંચોલી નજીક જંગલચટ્ટીમાં વાદળ ફાટવાને કારણે, ગૌરીકુંડ-કેદારનાથ ફૂટપાથ પર ભારે વરસાદને કારણે ભીંબલીમાં 20-25 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો અને પર્વતોમાંથી મોટા પથ્થરો આવ્યા હતા. આ પછી રામબાડા, ભીંબલી લીંચોલીનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. વાદળ ફાટવાને કારણે કેદારનાથ યાત્રાના રૂટનો 30 મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો છે.

Rain fury in Uttarakhand:4 હજાર લોકોને બચાવી લેવાયા હતા

ભારે વરસાદ બાદ કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી અને NDRF અને SDRFએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. હેલિકોપ્ટર દ્વારા અને પગપાળા ચાલતા રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 4000 થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

 

GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
US Russia Oil Waiver Extension શું ટ્રમ્પ અને મોદી વચ્ચેની વાતચીત રંગ લાવી? રશિયાથી તેલ ખરીદવાની છૂટ વધતા ભારતને મોટી રાહત, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
US Iran Nuclear Talks Islamabad| અમેરિકાઈરાન વચ્ચે નવી વાર્તાની શરૂઆત! સોમવારે ઈસ્લામાબાદમાં મળશે બંને દેશોના નેતાઓ; વૈશ્વિક તણાવ ઘટવાની આશા?
Exit mobile version