Site icon News Continuous Bureau | Mumbai

Raj Thackeray : મરાઠા આંદોલન અને EVM પર રાજ ઠાકરેનું મોટું નિવેદન, ‘મારો સવાલ એ છે કે જો દુનિયામાં…’ જાણો વિગતે..

Raj Thackeray : રાજ ઠાકરેએ શનિવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે રાજ ઠાકરેએ નિવેદનમાં કહ્યું હતું કે, ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન થવુ જોઈએ. મારો પ્રશ્ન એ છે કે, જો વિશ્વમાં દરેક જગ્યાએ મતદાન બેલેટ પેપરથી થાય છે, તો ભારતમાં શા માટે તે ઇવીએમ દ્વારા કરવામાં આવે છે..

Raj Thackeray Raj Thackeray's big statement on Maratha movement and EVM, 'My question is that if in the world...'

Raj Thackeray Raj Thackeray's big statement on Maratha movement and EVM, 'My question is that if in the world...'

News Continuous Bureau | Mumbai 

Raj Thackeray : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( MNS ) ના વડા રાજ ઠાકરેએ શનિવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ( EVM ) ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે રાજ ઠાકરેએ નિવેદનમાં કહ્યું હતું કે, ઈવીએમના બદલે બેલેટ પેપરથી ( Ballot paper ) મતદાન થવુ જોઈએ. મારો પ્રશ્ન એ છે કે, જો વિશ્વમાં દરેક જગ્યાએ મતદાન ( voting ) બેલેટ પેપરથી થાય છે, તો ભારતમાં શા માટે તે ઇવીએમ દ્વારા કરવામાં આવે છે. રાજ ઠાકરે લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections ) પહેલા રાજ્યભરના તેમના પ્રવાસના ભાગરૂપે કલ્યાણમાં હતા . પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે તેમણે માત્ર EVM પર જ નહીં પરંતુ, રાજ્યની રાજનીતિ અને અન્ય ઘણા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા.

Join Our WhatsApp Channel

રાજ્યની રાજનીતિ અંગે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રાજકારણની વર્તમાન સ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. હવે જનતાએ તેમના પ્રશ્નો તેમની સામે ઉઠાવવા જોઈએ, અન્યથા તેઓ વિચારતા રહેશે કે કોઈ અમારો પીછો નહીં કરે અને જો જનતા સમયસર પગલાં નહીં લે તો મહારાષ્ટ્રનું રાજકારણ ( Maharashtra politics ) હજી વધુ ઉંડાણમાં ધકેલાઈ જશે. આ સિવાય તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ( Maharashtra  )  ફેબ્રુઆરી મહિનામાં જ પાણીની સ્થિતિ ખરાબ થઈ જાય છે, ઘણા ભાગોમાં દુષ્કાળ પડે છે, પરંતુ લોકો દ્વારા આ બધા પર ધ્યાન આપવામાં આવતું નથી, તેના બદલે જાતિને સહારો લેવામાં આવે છે. આ સિવાય મરાઠા ક્વોટા મુદ્દે બોલતા તેમણે કહ્યું કે હવે દુષ્કાળ, બેરોજગારી, કૃષિ સંકટ વગેરે મુદ્દાઓને બદલે જાતિ આધારિત રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  US Election: દક્ષિણ કેરોલિનાની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પની જીત, પ્રમુખપદની ઉમેદવારી હવે લગભગ નિશ્ચિત.

 રાજ ઠાકરેએ શરદ પવાર પર પણ નિશાન સાધ્યું હતું…

દરમિયાન, રાજ ઠાકરેએ શરદ પવાર ( Sharad Pawar ) પર પણ નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું નામ ન લેનાર શરદ પવાર આજે તેમને યાદ કરે છે. તેમણે કહ્યું કે શરદ પવારે કદાચ છત્રપતિ શિવાજી મહારાજનું નામ એટલા માટે નથી લીધું કારણ કે તેમને લાગતું હતું કે જો તેઓ તેમનું નામ લેશે તો મુસ્લિમોના વોટ તેમની પાસેથી જતા રહેશે. અને હવે તે છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરી રહ્યા છે. કારણ કે આપણે આપણા મહાપુરુષોને હવે જાતિઓમાં વહેંચી દીધા છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ રાજ ઠાકરે એનડીએમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી, જ્યારે મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ સોલાર રાજ ઠાકરેને મળ્યા હતા. બંનેની આ મુલાકાત રાજ ઠાકરેના શિવાજી પાર્ક સ્થિત ઘરે થઈ હતી.

Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Gold Price Today| સોનું થયું સસ્તું! ભાવમાં જંગી ઘટાડો થતા ખરીદદારોની ભીડ, જાણો આજે કેટલા ઘટ્યા સોનાચાંદીના ભાવ
Stock Market Today| બજારમાં તેજીની લહેર! સેન્સેક્સ ૭૭,૦૦૦ ને પાર, સન ફાર્માના શેરમાં થયો તોફાની ઉછાળો
E85 ethanol India:બળતણમાં ૮૫ ટકા ઇથેનોલના મહા અભિયાનથી દેશની દશા અને દિશા બન્ને બદલાશૈ
Exit mobile version