Site icon

કોંગ્રેસ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીની તબિયત લથડી, છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોનાને હરાવ્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત  હવે  કોરોના પછીની સમસ્યાઓ સામે લડી રહ્યા છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં તીવ્ર દુખાવો થવાના કારણે જયપુરના એસએમએસ હોસ્પિટલમાં લઈ જવાયા છે. 

આ જાણકારી તેમણે ટ્વીટ કરીને જ આપી છે. સાથે જ તેમણે કહ્યુ કે એસએમએસ હોસ્પિટલમાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. ડૉક્ટર સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. 

સીએમ ગેહલોતની તબિયત ખરાબ થવાની માહિતી મળતા જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા છે.  

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત ગઈ કાલે રાત્રે દિલ્હીની મુલાકાતે આવવાના હતા. પરંતુ રાત્રે નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.  

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version