Site icon

Rajasthan Road accident: દિહોરમાં એક સાથે 10 ચિતા સળગી, હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજાર લોકો અંતિમ યાત્રામાં સામેલ

Rajasthan Road accident: ચાર દિવસ પહેલા રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 12 યાત્રાળુઓના મોત થયા હતા. આજે તમામના મૃતદેહને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Rajasthan Road accident : 12 Killed In Road Accident In Bharatpur

Rajasthan Road accident : 12 Killed In Road Accident In Bharatpur

News Continuous Bureau | Mumbai 

ચાર દિવસ પહેલા રાજસ્થાનના ( Rajasthan  ) ભરતપુર-આગ્રા હાઈવે ( Bharatpur  Agra Highway ) પર એક માર્ગ અકસ્માતમાં ( Road accident ) ગુજરાતના 12 યાત્રાળુઓના ( pilgrims ) મોત ( Killed  ) થયા હતા. આજે તમામના મૃતદેહને ગુજરાત ( Gujarat )  લાવવામાં આવ્યા હતા અને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 10 લોકો ભાવનગર જિલ્લાના દિહોર ગામના રહેવાસી હતા. અંતિમ યાત્રામાં આસપાસના ગામોના 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગામમાં એક સાથે 10 ચિતા સળગાવવામાં આવી ત્યારે કોના આંસુ લુછવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. એક સાથે આટલા મોત થી દિહોર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

Join Our WhatsApp Community

10 હજારથી વધુ લોકો અંતિમ યાત્રામાં સામેલ થયા

એમ્બ્યુલન્સ દ્વારા 12 મૃતદેહોને મૂળ ગામ દિહોરમાં આવેલી સરકારી શાળામાં લાવવામાં આવ્યા હતા. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ-મુસ્લિમ સમુદાયના 10 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડી હતી.

દિહોરના 10 લોકો મથુરા ગયા હતા

દિહોર ગામમાં આવેલા બજરંગ દાસ બાપાના મધુલી આશ્રમમાંથી 10 સભ્યો દિહોર ગામથી મથુરા જવા માટે 12 દિવસની યાત્રાએ નીકળ્યા હતા. 9 સપ્ટેમ્બરની રાત્રે ભાવનગર થી કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે લેવામાં આવી હતી, જેમાં તેણે ગુજરાત બોર્ડર ઓળંગીને નાથદ્વારા અને પુષ્કર સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અકસ્માત દરમિયાન બસ રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પરથી પસાર થઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો  :  Shilpa Shetty: શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મ સુખીના પ્રમોશન દરમિયાન અમદાવાદની બની મહેમાન

કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?

રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ. ડ્રાઈવર સહિત 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર નજીકની દુકાન માં પાઇપ ખરીદવા ગયો હતો. આ દરમિયાન એક ઝડપભેર ટ્રકે બાજુમાં ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર હાજર 10 લોકો અને બસમાં મુસાફરી કરી રહેલા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો અડધો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

 

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version