Site icon

Rajasthan Road accident: દિહોરમાં એક સાથે 10 ચિતા સળગી, હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજાર લોકો અંતિમ યાત્રામાં સામેલ

Rajasthan Road accident: ચાર દિવસ પહેલા રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 12 યાત્રાળુઓના મોત થયા હતા. આજે તમામના મૃતદેહને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Rajasthan Road accident : 12 Killed In Road Accident In Bharatpur

Rajasthan Road accident : 12 Killed In Road Accident In Bharatpur

News Continuous Bureau | Mumbai 

ચાર દિવસ પહેલા રાજસ્થાનના ( Rajasthan  ) ભરતપુર-આગ્રા હાઈવે ( Bharatpur  Agra Highway ) પર એક માર્ગ અકસ્માતમાં ( Road accident ) ગુજરાતના 12 યાત્રાળુઓના ( pilgrims ) મોત ( Killed  ) થયા હતા. આજે તમામના મૃતદેહને ગુજરાત ( Gujarat )  લાવવામાં આવ્યા હતા અને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 10 લોકો ભાવનગર જિલ્લાના દિહોર ગામના રહેવાસી હતા. અંતિમ યાત્રામાં આસપાસના ગામોના 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગામમાં એક સાથે 10 ચિતા સળગાવવામાં આવી ત્યારે કોના આંસુ લુછવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. એક સાથે આટલા મોત થી દિહોર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

Join Our WhatsApp Community

10 હજારથી વધુ લોકો અંતિમ યાત્રામાં સામેલ થયા

એમ્બ્યુલન્સ દ્વારા 12 મૃતદેહોને મૂળ ગામ દિહોરમાં આવેલી સરકારી શાળામાં લાવવામાં આવ્યા હતા. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ-મુસ્લિમ સમુદાયના 10 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડી હતી.

દિહોરના 10 લોકો મથુરા ગયા હતા

દિહોર ગામમાં આવેલા બજરંગ દાસ બાપાના મધુલી આશ્રમમાંથી 10 સભ્યો દિહોર ગામથી મથુરા જવા માટે 12 દિવસની યાત્રાએ નીકળ્યા હતા. 9 સપ્ટેમ્બરની રાત્રે ભાવનગર થી કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે લેવામાં આવી હતી, જેમાં તેણે ગુજરાત બોર્ડર ઓળંગીને નાથદ્વારા અને પુષ્કર સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અકસ્માત દરમિયાન બસ રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પરથી પસાર થઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો  :  Shilpa Shetty: શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મ સુખીના પ્રમોશન દરમિયાન અમદાવાદની બની મહેમાન

કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?

રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ. ડ્રાઈવર સહિત 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર નજીકની દુકાન માં પાઇપ ખરીદવા ગયો હતો. આ દરમિયાન એક ઝડપભેર ટ્રકે બાજુમાં ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર હાજર 10 લોકો અને બસમાં મુસાફરી કરી રહેલા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો અડધો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

 

Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Exit mobile version