Site icon News Continuous Bureau | Mumbai

રજનીકાંતનો રાજકીય વળાંક ; હમણાં રાજકીય પક્ષ શરૂ નહીં કરે.. જાણો એવી કઈ માંદગી સામે આવી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020 

તમિળ ફિલ્મ્સના સુપરસ્ટાર રજનીકાંતે એક વિશાળ જાહેરાત કરી કહ્યું કે તેમની હાલની તબિયતને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનો રાજકીય પક્ષ શરૂ કરશે નહીં. હોસ્પિટલમાંથી રજા આપ્યાના બે દિવસ પછી, અભિનેતાએ નિવેદન બહાર પાડી પુષ્ટિ કરી હતી કે તે રાજકારણમાં જોડાઈ રહયાં નથી. તમિળ મેગાસ્ટારે કહ્યું કે તેમની તાજેતરની તબિયત ભગવાનની ચેતવણી રૂપે આવી છે. 

Join Our WhatsApp Channel

હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી રજા આપ્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. હાલ તેમના બ્લડ પ્રેશરના વધઘટની સારવાર કરવામાં આવી રહી છે. 70 વર્ષના રજનીકાંતને કિડની, હાયપરટેન્શન અને વયને ધ્યાનમાં રાખીને તાણથી બચવા માટે એક અઠવાડિયાનો સંપૂર્ણ બેડ રેસ્ટ કરી આવ્યાં છે.  

ઉલ્લેખનીય છે કે, ગંભીર હાયપરટેન્શન અને થાકને લીધે  તેમને 25 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અગાઉ ક્રૂના ચાર સભ્યોને COVID-19 પોઝિટિવ આવ્યાં બાદ તેમનું પણ COVID પરીક્ષાના કરવામાં આવું હતું. જોકે, રજનીકાંત નું રિઝલ્ટ નકારાત્મક આવ્યું હતું. આમ હાલતો પોતાની ખરાબ તબિયત નું બહાનું ધરી તેમને રાજકારણ થી દુર રહેવાની જાહેરાત કરી છે.

Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Exit mobile version