Site icon News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેનો ગેમ પ્લાન ઠાકરે પરિવાર માટે સૌથી ખતરનાક છે- માત્ર મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખો પક્ષ પોતાના નામે કરવાની એકનાથ શિંદેની હિલચાલ શરૂ-જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદે(Eknath Shinde) પાસે પૂરતા ધારાસભ્યો(MLAs Support)નું સમર્થન હાંસલ છે. બે તૃતીયાંશ બહુમતી માટે માત્ર અમુક ધારાસભ્યો ઓછા પડી રહ્યા છે. આવા સમયે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray)ના કાયદાકીય દાવપેચનો જવાબ હવે કાયદાથી આપવાની શરૂઆત થઈ ગઈ છે. શિવસેના(Shivsena)એ એકનાથ શિંદે તેને ડરાવવા માટે તમામ ધારાસભ્યો(MLAs)ના નેતા પદેથી તેમને ખસેડી નાખ્યા, તેમજ વિધાયક દળના નેતાના પદ ઉપર અજય ચૌધરી(Ajay Choudhary) નામના વ્યક્તિને નિયુક્તિ કરી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં એકનાથ શિંદેએ વિધાનસભા(Vidhansabha)ના ઉપસભાપતિ નરહરિ જીરવળને પત્ર લખીને ઉદ્ધવ ઠાકરેની નિયુક્તિને ચેલેન્જ આપી છે. કાયદાકીય રીતે જોતા જે વ્યક્તિ પાસે ધારાસભ્યોનું પૂરતું પીઠબળ હોય તે વ્યક્તિ વિધાનસભ્યોના નેતા તરીકે ચૂંટી શકાય છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ

હવે સૌથી દિલચસ્પ બાબત એ છે કે જો એકનાથ શિંદેના દાવાને યોગ્ય ઠરાવવામાં આવે તો એકનાથ શિંદે આખેઆખી શિવસેના(Shivsena Chief)ના સર્વેસર્વા બની બેસે. ત્યારબાદ તેઓ શિવસેના પાર્ટી ના અધ્યક્ષ સુદ્ધા બની શકે છે. એકનાથ શિંદેના એક પત્ર ને કારણે આખેઆખું ઠાકરે પરિવાર હલી ગયું છે. જો આ દિશામાં કાયદેસર રીતે આગળ વધવામાં આવે તો ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખી શિવ સેના છોડવી પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

Maharashtra| મહારાષ્ટ્રમાં ગરમી નો પ્રકોપ,લાતૂરમાં ૩ ના મોત, સમગ્ર રાજ્યમાં ૩૯ કેસ નોંધાતા તંત્ર એલર્ટ
Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version