Site icon News Continuous Bureau | Mumbai

રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં સતત બીજા દિવસે પણ રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતા ટેન્શન માહોલ ભર્યો છે. ત્યારે હવે રાજનૈતિક દાવપેચ શરૂ થઈ ગયા છે. એક તરફ શિવસેના(Shivsena)એ પાર્ટીના ધારાસભ્યો(MLAs)ને વ્હીપ જારી કર્યા છે તો બીજી તરફ બાગી નેતા એકનાથ શિંદે(Eknath Shinde)એ નવો ખેલ ખેલ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત

શિવસેના દ્વારા જારી વ્હીપ જારી કર્યા બાદ એકનાથ શિંદે વધુ આક્રમક બન્યા છે. ગુવાહાટી(Guwahati)માં રહેલા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે(SHivsena MLA Bharat Gogavale)ને વિધાનસભાના મુખ્ય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, સાથે એકનાથ શિંદેએ કહ્યું છે કે ધારાસભ્યોની આજની બેઠક અંગે સુનીલ પ્રભુ(Sunil Prabhu) દ્વારા જારી કરાયેલા આદેશ કાયદેસર રીતે અમાન્ય છે. આ જાણકારી તેમણે ટ્વિટર કરીને આપી છે. 

 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે એક વાગ્યે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.જેમાં શિવસેનાના 8 મંત્રી નહોતા પહોંચ્યા, જે મુંબઈમાં જ હાજર છે. આ પછી આજે સાંજે યોજાનારી મોટી બેઠક માટે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જાહેર જારી કરી તેમને 5 વાગ્યે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું . 

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version