Site icon News Continuous Bureau | Mumbai

 ઠાકરે સરકારના નવા નિયમને કારણે ટ્રાન્સપોર્ટરોને પારાવાર મુશ્કેલીઓ; કેટલી વાર કોરોના ટેસ્ટ કરાવવો? 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

મહારાષ્ટ્ર સરકારે પહેલી જૂન સવારે 07:00 વાગ્યા સુધી લાગુ રહેનાર 'બ્રેક ધ ચેઇન'નો આદેશ જાહેર કર્યો છે. આ નવા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ રાજ્યમાં પ્રવેશ કરતાં અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ ન્યૂનતમ ૪૮ કલાક પહેલાં કરાવવો જરૂરી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે તકલીફ ટ્રાન્સપોર્ટરોને થઈ રહી છે. વાત એમ છે કે માલની હેરફેર કરનાર ટ્રાન્સપોર્ટની ટ્રકો ૨૪ કલાક દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતી હોય છે. આ ઉપરાંત તેઓ વળતો પ્રવાસ પણ કરે છે. આ સમય દરમિયાન જો તેઓ વારંવાર ટેસ્ટ કરાવવા બેસે તો તેમનો ઉદ્યોગ ચાલી શકે એમ નથી. આ પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરોએ શું કરવું એ માટે અવઢવમાં છે.

કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારે આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. જેને કારણે આવનારા દિવસોમાં અનેક વસ્તુઓની સપ્લાય અવરોધાઈ શકે છે.

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version