Site icon News Continuous Bureau | Mumbai

 ઠાકરે સરકારના નવા નિયમને કારણે ટ્રાન્સપોર્ટરોને પારાવાર મુશ્કેલીઓ; કેટલી વાર કોરોના ટેસ્ટ કરાવવો? 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

મહારાષ્ટ્ર સરકારે પહેલી જૂન સવારે 07:00 વાગ્યા સુધી લાગુ રહેનાર 'બ્રેક ધ ચેઇન'નો આદેશ જાહેર કર્યો છે. આ નવા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ રાજ્યમાં પ્રવેશ કરતાં અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ ન્યૂનતમ ૪૮ કલાક પહેલાં કરાવવો જરૂરી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે તકલીફ ટ્રાન્સપોર્ટરોને થઈ રહી છે. વાત એમ છે કે માલની હેરફેર કરનાર ટ્રાન્સપોર્ટની ટ્રકો ૨૪ કલાક દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતી હોય છે. આ ઉપરાંત તેઓ વળતો પ્રવાસ પણ કરે છે. આ સમય દરમિયાન જો તેઓ વારંવાર ટેસ્ટ કરાવવા બેસે તો તેમનો ઉદ્યોગ ચાલી શકે એમ નથી. આ પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરોએ શું કરવું એ માટે અવઢવમાં છે.

કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારે આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. જેને કારણે આવનારા દિવસોમાં અનેક વસ્તુઓની સપ્લાય અવરોધાઈ શકે છે.

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version