Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાનને દૂર કરો! વિદ્યાર્થીઓ ના વાલીઓ એ ટ્વિટર અભિયાન છેડયું .. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

03 નવેમ્બર 2020 

શિક્ષણ પ્રધાન તેમના મુદ્દાઓ પર નક્કર નિર્ણય લઈ રહ્યા ન હોવાથી રાજ્યભરના વાલીઓએ શિક્ષા મંત્રી ને પદ પર થી હટાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. કોરોના ને કારણે લોકડાઉન દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શાળાઓ મનફાવે તેમ ફી લઈ રહયાં છે. આથી રાજ્યભરનાં વાલીઓએ તેમને પદ પરથી હટાવવાની માંગ કરી છે. ટ્વિટર પર માતા-પિતાએ શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવા માટે મતદાન શરૂ કર્યું છે જેને વાલીઓનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 

કોરોનાની પૃષ્ઠભૂમિમાં શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શીખવવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, શાળાઓએ માતાપિતા પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કર્યો. જેની માતા-પિતાએ શિક્ષણ પ્રધાન અને શિક્ષણ વિભાગમાં ફરિયાદ નોંધાવી; પરંતુ તેની નોંધ શિક્ષા વિભાગ દ્વારા લેવામાં આવી નથી. આથી, વાલીઓએ તેમની ફરિયાદો શિક્ષણ રાજ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. જોકે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વાલીઓ રોષે ભરાયા છે. 

મહારાષ્ટ્ર ના શિક્ષણ પ્રધાન માત્ર ખાતરી આપી રહ્યા હોવાથી માતા-પિતાએ ટ્વિટર પર એક ઝુંબેશ શરૂ કરી છે. શિક્ષણ અભિયાન સામે આક્રોશને  કારણ કે એમઆઈટી પુનાના માતાપિતાના દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટ્વિટને ઘણાં રિટ્વીટ કરી રહ્યાં છે. આમ વાલીઓનો અવાજ હવે બુલંદ બની રહ્યો છે.

MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
Exit mobile version