Site icon News Continuous Bureau | Mumbai

Republic Day 2024 : મહારાષ્ટ્રમાં 26 જાન્યુઆરીએ આટલા કિલ્લાઓ પર ત્રિરંગો અને કેસરિયો ધ્વજ ફરકાવવામાં આવશે..

Republic Day 2024 : આ વર્ષે પ્રજાસત્તાક દિવસે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ઓલ મહારાષ્ટ્ર ક્લાઇમ્બિંગ ફેડરેશને પણ આ વર્ષની ઉજવણી માટે એક નવીન પહેલ શરુ કરી છે.

Republic Day 2024 Tricolor and Saffron flag will be hoisted on 350 forts in Maharashtra on January 26..

Republic Day 2024 Tricolor and Saffron flag will be hoisted on 350 forts in Maharashtra on January 26..

News Continuous Bureau | Mumbai 

Republic Day 2024 : આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર આ વર્ષ સમગ્ર મહારાષ્ટ્રમાં શિવરાજાભિષેક ( shivrajyabhishek ) વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ઓલ મહારાષ્ટ્ર ક્લાઇમ્બિંગ ફેડરેશને પણ આ વર્ષની ઉજવણી માટે એક નવીન પહેલ શરુ કરી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના કિલ્લાઓ તથા શિવપ્રેમીઓ 26 જાન્યુઆરીએ 350 કિલ્લાઓ પર છત્રપતિ શિવાજી મહારાજની ( Shivaji Maharaj ) પ્રતિમાનું પૂજન કરશે અને ભગવા અને ત્રિરંગા ધ્વજ ફરકાવશે ( india republic day )

Join Our WhatsApp Channel

ઓલ મહારાષ્ટ્ર માઉન્ટેનિયરિંગ ફેડરેશને  ( Maharashtra Climbing Federation ) એક જ દિવસમાં 350 કિલ્લાઓ પર ધ્વજ ફરકાવવાની ( flag hoisting ) આ યોજના બનાવી છે. તેમના દ્વારા પસંદગીના કિલ્લાઓ પર ધ્વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે સંસ્થાએ મહારાષ્ટ્રના તમામ ગૌ પ્રેમીઓ અને શિવપ્રેમીઓને અપીલ કરી હતી. આ અપીલને માન આપીને પાંચ હજારથી વધુ શિવપ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ નામોની સમીક્ષા કર્યા બાદ ઓલ મહારાષ્ટ્ર ફેડરેશનની મુખ્ય ટીમ દ્વારા તમામ સંયોજકોને ભગવો ધ્વજ, ત્રિરંગો ધ્વજ અને શિવ પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Padma Awards 2024: મુંબઈના ગુજરાતી પત્રકારત્વ માટે સ્વર્ણિમ ક્ષણ : જન્મભૂમિ ના સંપાદક કુંદનભાઈ ને પદ્મભૂષણ એવોર્ડ….

 રત્નાદુર્ગ પર્વતારોહકો રત્નાગીરીના રત્નાદુર્ગ કિલ્લા પર પણ ધ્વજ ફરકાવશે…

રત્નાદુર્ગ પર્વતારોહકો રત્નાગીરીના ( Ratnagiri ) રત્નાદુર્ગ કિલ્લા પર પણ ધ્વજ ફરકાવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભગવતી મંદિર સંસ્થાના પ્રમુખ સુધાકર મોંડકર ઉપસ્થિત રહેશે. રત્નાદુર્ગ પર્વતારોહણના પ્રમુખ, સેક્રેટરીએ અપીલ કરી છે કે રત્નાગીરીના તમામ શિવ પ્રેમીઓ અને દુર્ગ પ્રેમીઓએ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવો.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version