Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આટલા જિલ્લાઓમાં હવે પ્રતિબંધો શિથિલ થશે;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

રાજ્યમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી અને આગળ રાજ્યમાં પ્રતિબંધો શિથિલ કરવા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે રાજ્યના પચીસ જિલ્લાઓમાં પ્રતિબંધો ધીમે-ધીમે હળવા કરાશે. આ જિલ્લાઓમાં દુકાનો અને મૉલ ખોલવાની પરવાનગી આપવામાં આવેએવી શક્યતા છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ ઓછો હોવા છતાં ત્રીજા તબક્કાના જ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. હવે એવા પચીસ જિલ્લાઓ કે જ્યાં પૉઝિટિવિટી રેટ ઓછો છે ત્યાં પ્રતિબંધો હળવા થઈ શકે છે. જોકેરાજ્યના ૩૬માંના ૧૧ જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ વધુ હોવાથી પ્રતિબંધો યથાવત્ રહેશે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : મેડિકલ કૉલેજમાં પણ આ વિદ્યાર્થીઓને મળશે આરક્ષણનો લાભ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે સતારા, સાંગલી, પુણે, કોલ્હાપુર, સોલાપુર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, બીડ, પાલઘર અને અહમદનગર આ તમામ જિલ્લાઓમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ રાજ્યની સરાસરી કરતાં વધુ છે.

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version