Site icon News Continuous Bureau | Mumbai

Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?

મુંબઈના પવઈ સ્થિત સ્ટુડિયોમાં ૧૭ બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો; મોડી રાત્રે પુણેમાં થયા અંતિમ સંસ્કાર.

Rohit Arya પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ

Rohit Arya પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ

News Continuous Bureau | Mumbai

Rohit Arya  મુંબઈના પવઈ સ્થિત આરએ સ્ટુડિયોમાં ગુરુવારે બપોરે ૧૭ બાળકોને બંધક બનાવવાની ચોંકાવનારી ઘટના પછી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી રોહિત આર્યાને એન્કાઉન્ટરમાં ઠાર મારીને તમામ ૧૭ બંધક બાળકો સહિત ૨૦ લોકોનો જીવ બચાવ્યો હતો. રોહિતનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પોલીસે મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દીધો હતો. પરિવારજનોએ રોહિતના અંતિમ સંસ્કાર આજે સવારે કર્યા હતા. ચાલો જાણીએ કે આખરે રોહિતના અંતિમ સંસ્કારમાં કોણ-કોણ પહોંચ્યું હતું.

Join Our WhatsApp Channel

પુણેના વૈકુંઠ સ્મશાન ઘાટ પર થયા સંસ્કાર

પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિત આર્યાના અંતિમ સંસ્કાર પુણેના વૈકુંઠ સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. રોહિત આર્યાની પત્ની અને ભાઈ તેમનો પાર્થિવ દેહ પુણે લઈ આવ્યા હતા. આ પછી અડધી રાતથી જ અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અંતિમ સંસ્કારમાં રોહિતની પત્નીની સાથે તેનો દીકરો પણ હાજર હતો. આ દરમિયાન દીકરો અને પત્ની પોતાના ચહેરા પર સ્કાર્ફ બાંધીને અંતિમ સંસ્કારમાં આવ્યા હતા.

સંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર

રોહિત આર્યાના અંતિમ સંસ્કાર લગભગ ૧૨ સંબંધીઓની હાજરીમાં થયા.કહેવામાં આવી રહ્યું છે કે અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા ૧૨ સંબંધીઓએ પણ પોતાના ચહેરા પર સ્કાર્ફ બાંધી રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈના પવઈ સ્થિત આરએ સ્ટુડિયોમાં ૧૭ બાળકોને બંધક બનાવીને રાખવાને કારણે પોલીસે રોહિત આર્યાનું એન્કાઉન્ટર કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ

ઓડિશનના નામે બાળકોને બનાવ્યા હતા બંધક

મુંબઈ પોલીસે બંધક બાળકોને બચાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન પોલીસ સ્ટુડિયોના બાથરૂમની બારીનો કાચ તોડીને અંદર દાખલ થઈ. રોહિતના હાથમાં હથિયાર જોઈને પોલીસે તેના પર ફાયરિંગ કર્યું, જેનાથી તેનું મોત થયું. જોકે, બાદમાં રોહિત પાસે મળેલી ગન નકલી નીકળી. તે એર ગન હતી. વેબ સિરીઝનું કામ અપાવવાના નામે રોહિતે બાળકોને ઓડિશન માટે બોલાવ્યા હતા.

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version