Site icon News Continuous Bureau | Mumbai

Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ

Rohit Pawar Ladki Bahin Yojana।ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડર ૯ થી ઘટાડીને ૪ કરાતા વિપક્ષ આક્રમક; રોહિત પવારે સરકારને ગણાવી વિશ્વાસઘાતી, ૮૦ લાખ મહિલાઓને યોજનામાંથી બહાર કરાયાનો લગાવ્યો આરો

Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ

Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Rohit Pawar Ladki Bahin Yojana। કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળતા સબસિડીવાળા ગેસ સિલિન્ડરની વાર્ષિક મર્યાદા ૯ થી ઘટાડીને માત્ર ૪ કરી દેવાના નિર્ણય બાદ દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ આર્થિક કાપના કારણે કરોડો લાભાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેનો ફાયદો ઉઠાવીને હવે વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર જૂથના અગ્રણી નેતા અને ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરીને મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય ‘મુખ્યમંત્રી લાડકી બહેન યોજના’ પણ ભવિષ્યમાં બંધ થઈ શકે છે તેવો સનસનાટીભર્યો દાવો કર્યો છે, જેનાથી રાજ્યભરમાં મોટી ચર્ચા જાગી છે.

Rohit Pawar Ladki Bahin Yojana।ચૂંટણી પત્યા બાદ ૮૦ લાખ મહિલાઓને યોજનામાંથી બહાર કરાયાનો દાવો

સરકાર પર આક્ષેપ કરતા રોહિત પવારે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન મતો મેળવવા માટે સરકારે કોઈ પણ શરતો વિના તમામ મહિલાઓને લાડકી બહેન યોજનાનો સરસકટ લાભ આપ્યો હતો. પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ અને મતોની ગણતરી પૂરી થઈ, એટલે સરકારે હવે અલગ-અલગ કડક નિયમો અને માપદંડો લગાવીને આશરે ૮૦ લાખ લાડકી બહેનોને યોજનાના લાભથી વંચિત રાખીને બહાર કરી દીધી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં સરકાર હજી વધુ કડક નિયમો લાવશે, જેથી આ યોજનાનો લાભ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી મહિલાઓને જ મળશે અથવા તો ઉજ્જવલા યોજનાની જેમ જ આ યોજના પણ સંપૂર્ણપણે તાળાબંધી તરફ ધકેલાઈ જશે.

Rohit Pawar Ladki Bahin Yojana।મતો માટે જનતાને છેતરતી હોવાનો વિપક્ષનો ગંભીર આરો

રોહિત પવારે સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધતા કહ્યું કે આ માત્ર મતોની રાજનીતિ કરવા માટે જનતાને છેતરનારી અને વિશ્વાસઘાત કરનારી સરકાર છે. આગામી ચૂંટણીઓમાં પણ આ જ રીતે જનતાને કોઈ નવી લોભામણી યોજનાનું અસ્થાયી ગાજર દેખાડીને મતો અંકે કરવાનો પ્રયાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના શરૂ કરાઈ ત્યારે લાભાર્થીઓને વર્ષના ૧૨ સિલિન્ડર પર આર્થિક રાહત મળતી હતી, જે હવે ઘટીને માત્ર ચાર થઈ ગઈ છે. વિપક્ષના આ ગંભીર આક્ષેપો અને લાડકી બહેન યોજના બંધ થવાના દાવાઓ પર હવે સત્તાધારી પક્ષના નેતાઓ શું વળતો પ્રહાર કરે છે તે જોવું મહત્વનું રહેશે.

👉 આ સમાચાર વાચો:
Khan Sir Patna Court Case| પટના કોર્ટે કેમ રોકી ખાન સરની ધરપકડ? જાણો કેસ ડાયરી મંગાવીને અદાલતે પોલીસને શું આપ્યો કડક આદેશ

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version