News Continuous Bureau | Mumbai

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો

પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને રાજકીય રેલવે પોલીસ (જીઆરપી) ના કર્મચારીઓએ તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી અમદાવાદ સ્ટેશન પર એક મહિલા મુસાફરની જાન બચાવી તેમજ એક શંકાસ્પદ વ્યક્તિને પકડીને જીઆરપીના હવાલે કર્યો.

AhmedabadStation આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા

News Continuous Bureau | Mumbai

મહિલા મુસાફરની જાન બચાવવામાં આવી

25 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 16336 નાગરકોઇલ–ગાંધીધામ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 50 વર્ષીય મહિલા મુસાફર રૂબિના બાનો, નિવાસી ગુના, મધ્ય પ્રદેશ ઉતરતી વખતે અસંતુલિત થઈને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. પેટ્રોલિંગ પર રહેલા આરપીએફ કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને જીઆરપી હેડ કૉન્સ્ટેબલ દર્શિતભાઈએ તાત્કાલિકતા અને સાહસ દર્શાવીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી. જો આ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી હોત તો મહિલાને ગંભીર ઇજા થઈ શકતી હતી અને તેની જાન પણ જોખમમાં પડી શકતી હતી.

આરપીએફ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ પકડાયો

25.09.2025ના રોજ પ્લેટફોર્મ નંબર 03 પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઉપ નિરીક્ષક સોનુકુમાર સૈની, કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને કૉન્સ્ટેબલ મુકેશએ એક શંકાસ્પદ વ્યક્તિને છુપવાનો પ્રયાસ કરતાં જોયો. તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહીં. તપાસ દરમિયાન તેના પાસે વિવો કંપનીનો એક મોબાઇલ ફોન મળ્યો, જેની અંદાજિત કિંમત રૂ.10,000/- જેટલી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી કે આ મોબાઇલ ફોન કોઈ મુસાફર પાસેથી ચોરાયેલો છે. શંકાસ્પદ વ્યક્તિ ગુનો કરવાની નિયતથી સ્ટેશન પરિસરમાં છુપાયો હતો.
ઉપરોક્ત વ્યક્તિને વિધિવત કાર્યવાહી માટે જીઆરપી/અમદાવાદને સુપરત કરવામાં આવ્યો છે. આગળની તપાસ જીઆરપી દ્વારા કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

AhmedabadStation અમદાવાદ મંડળ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આરપીએફ અને જીઆરપીના કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી સતર્કતા, સાહસ અને ત્વરિત કાર્યવાહી મુસાફરોની સુરક્ષા અને રેલવેની વિશ્વસનીયતાનું પ્રતિક છે. આ સરાહનીય પ્રયાસોને પ્રેરણાત્મક માનવામાં આવે છે અને ભવિષ્યમાં પણ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા પ્રયત્નો સતત ચાલુ રહેશે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version