Site icon

નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી- RSS પ્રમુખ મોહન ભાગવતે ફરકાવ્યો તિરંગો- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

દેશભરમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે(Mohan Bhagwat) નાગપુર(Nagpur) માં સંગઠનના મુખ્યાલય(Headquater)માં ત્રિરંગો(tricolour) ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના કેટલાક સ્વયંસેવકો અને પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા દિવસ(Indepedence Day)ને ધ્યાનમાં રાખીને સંઘના મુખ્યાલય પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Join Our WhatsApp Community

 

ધ્વજવંદન બાદ ઉપસ્થિત લોકોને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે ભારત(India)ને ઘણા સંઘર્ષ બાદ આઝાદી મળી છે અને તેને આત્મનિર્ભર(AtmaNirbhar) બનવાની જરૂર છે.ભાગવતે કહ્યું, "આજનો દિવસ ગૌરવ અને સંકલ્પનો દિવસ છે. ઘણા સંઘર્ષ પછી દેશને આઝાદી મળી. તેણે આત્મનિર્ભર બનવાની જરૂર છે." ભાગવતે એમ પણ કહ્યું કે લોકોએ એ ન પૂછવું જોઈએ કે દેશ અને સમાજ તેમને શું આપે છે, પરંતુ તે વિચારવું જોઈએ કે તેઓ દેશને શું આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  આઝાદીના 75 વર્ષની ધામધૂમથી ઉજવણી- મુંબઈને પાણી પુરવઠો કરનારા આ બંધને ત્રિરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો

RSSએ નાગપુરના રેશમબાગ વિસ્તારમાં સ્થિત ડૉ. હેડગેવાર મેમોરિયલ કમિટીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નાગપુર મેટ્રોપોલિસના સહ-સ્થાપક શ્રીધર ગાડગેએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. RSS સ્વયંસેવકો આજે સાંજે 5 વાગ્યે શહેરના વિવિધ ભાગોમાં 'પથ સંકલ્પ' (માર્ચ પાસ્ટ) પણ કરશે.

આ સમાચાર પણ વાંચો : બેસ્ટની બસમાં પ્રવાસ કરવાનો છે-તો ધ્યાન રાખજો આ રૂટ પર કરવામાં આવ્યો છે ફેરફાર

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version