Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં ફરી રાજકીય ઘમાસાણ, સચિન પાયલટ અશોક ગેહલોતની સામે કરશે ઉપવાસ આંદોલન, જાણો શું છે મામલો

Sachin Pilot announces fast against his govt, CM Gehlot on corruption issue

રાજસ્થાનમાં ફરી રાજકીય ઘમાસાણ, સચિન પાયલટ અશોક ગેહલોતની સામે કરશે ઉપવાસ આંદોલન, જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી વચ્ચે રાજકીય સંઘર્ષ છેડાઈ ગયો છે. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ 11મી એપ્રિલે એક દિવસીય ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આ બંને વચ્ચેના સંઘર્ષે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો માથાનો દુખાવો વધારી દીધો છે.

Join Our WhatsApp Channel

રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘર્ષણ છેડાયું છે. સચીન પાયલટના આ ઉપવાસ અશોક ગેહલોત સરકાર ભ્રષ્ટાચાર સામે પગલાં ન લેતી હોવાના વિરોધમાં હશે, પરંતુ અહીંથી એક સંદેશ આપવાની તૈયારી છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં સ્ટેમ્પ વિક્રેતાઓએ અનિશ્ચિત મુદતની હડતાળ પાછી ખેંચી.. સરકારે આટલી માંગ પર સંમત

સાથે જ સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર જોરદાર પ્રહારો કર્યા છે.તેમણે ગેહલોત પર ભાજપના નેતાઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. પાયલોટે અશોક ગેહલોત પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અશોક ગેહલોતે તેમના વિરોધ દરમિયાન થયેલા તમામ કૌભાંડોને દબાવી દીધા. જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે ભ્રષ્ટાચારને લઈને એકસાથે ઘણી બધી વાતો કહી હતી, પરંતુ આજ સુધી આ કામ થયું નથી. તેમણે કહ્યું કે હું 11મી એપ્રિલે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસ પર જઈશ.

જાણો કારણ શું છે?

વસુંધરા સરકાર પર લાગેલા આરોપોની તપાસ ગેહલોત સરકાર ન કરતી હોવાથી પાયલટે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસની જાહેરાત કરી છે. પાયલોટે 45 હજાર કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરવાની માંગ કરી છે.

Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Uddhav Thackeray Flag Hoisting ઉદ્ધવ ઠાકરેએ મધ્યરાત્રિએ શિવસેના ભવન પર તિરંગો ફરકાવ્યો, જણાવ્યું વિશેષ કારણ
Central Railway 15 Car Local લોકલ પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ ૧૨ ડબ્બાની ૨૨ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની બનશે, જાણો સેન્ટ્રલ રેલવેનો નવો પ્લાન
Exit mobile version