Site icon News Continuous Bureau | Mumbai

Samruddhi Mahamarg : મુસાફરી બનશે વધુ સરળ.. સમૃદ્ધિ મહામાર્ગ સંપૂર્ણપણે ખુલશે… મુખ્યમંત્રી ફડણવીસ છેલ્લા તબક્કાનું આ તારીખે કરશે ઉદ્ઘાટન

Samruddhi Mahamarg : મહારાષ્ટ્રના મહત્વાકાંક્ષી સમૃદ્ધિ મહામાર્ગનો છેલ્લો 76 કિમી ભાગ 5 જૂન (ગુરુવાર) 2025 થી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ભાગનું ઉદ્ઘાટન કરશે. આ સાથે, 701 કિમી લાંબા મુંબઈ-નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ વે પર લોકો માટે મુસાફરી સરળ બનશે.

Samruddhi Mahamarg Maharashtra mumbai nagpur samruddhi expressway start from june 5 cm devendra fadnavis inaugurate last phase

Samruddhi Mahamarg Maharashtra mumbai nagpur samruddhi expressway start from june 5 cm devendra fadnavis inaugurate last phase

 News Continuous Bureau | Mumbai

 Samruddhi Mahamarg : થાણે જિલ્લાના આમને અને નાસિકના ઇગતપુરી વચ્ચેના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવેના છેલ્લા 76 કિલોમીટરના પટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા 5 જૂન, ગુરુવારના રોજ કરવામાં આવશે. ઉદ્ઘાટન પછી તરત જ આ માર્ગ સામાન્ય ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.

Join Our WhatsApp Channel

 Samruddhi Mahamarg : લગભગ 40 કિ.મી. અંતર ઘટ્યું 

સમૃદ્ધિ હાઇવેએ વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓ વચ્ચે મુંબઈથી મુસાફરીનું અંતર ટૂંકું અને ઝડપી બનાવ્યું છે. પહેલાં, મુંબઈથી નાસિકની મુસાફરીમાં 3 કલાક અને 45 મિનિટથી વધુ સમય લાગતો હતો. સમૃદ્ધિ હાઇવેને કારણે તે ઘટીને 2 કલાક અને 30 મિનિટ થઇ ગયો છે. એટલે કે લગભગ 40 કિ.મી. અંતર ઘટ્યું છે. શાહપુર તાલુકામાં સૌથી મોટી વાશાલા ખાતે બનેલી 7.74 કિમી લાંબી ટનલને કારણે કસારા ઘાટ પાર કરવાનું ખૂબ જ સરળ બન્યું છે. 36 મીટર પહોળો રસ્તો અને 6 લેનનો હાઇવે મુસાફરીને ઝડપી બનાવશે.

 Samruddhi Mahamarg : આ વિભાગમાં ત્રણ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે.   

આ એક્સપ્રેસવેના છેલ્લા તબક્કાના ઉદઘાટન સાથે, હવે વાહનચાલકોને મુંબઈથી નાગપુર મુસાફરી કરવામાં ઘણી સુવિધા મળશે. આ વિભાગનું બાંધકામ અંદાજિત ₹1,182 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાં MSRDC અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા નાણાકીય ભાગીદારી કરવામાં આવી છે. આ વિભાગમાં ત્રણ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે. ઇગતપુરી, શાહપુરમાં કુટઘર અને થાણેમાં અમાને ખાતે ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે. MSRDC અનુસાર, આ વિભાગમાં 7.8 કિલોમીટર લાંબી ટનલ પણ શામેલ છે, જે દેશની સૌથી લાંબી ટનલ છે. આ મહારાષ્ટ્રનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે.

આ સમાચાર પણ વાંચો: Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

હાલમાં, જૂના મુંબઈ-નાસિક હાઇવે પર વાહનચાલકોને કસારા ઘાટ થઈને પશ્ચિમ ઘાટમાં 450 મીટરની ઊંચાઈ સુધી ચઢવું પડે છે. સમૃદ્ધિ મહામાર્ગના આ નવા વિભાગ સાથે, ઊંચાઈ ફક્ત 160 મીટર સુધી મર્યાદિત રહેશે અને ઇગતપુરીથી અમાને સુધીનો મુસાફરીનો સમય 90 મિનિટથી ઘટીને ફક્ત 40 મિનિટ થશે, જેનાથી વાહનચાલકો માટે ઘણો સમય અને સુવિધા બચશે.

 Samruddhi Mahamarg : 55,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર

આ વિભાગ ખુલવાથી, 701 કિલોમીટર લાંબો નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઇવે સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેનાથી નાગપુરથી મુંબઈનો મુસાફરીનો સમય 16 કલાકથી ઘટીને માત્ર 8 કલાક થઈ જશે. 55,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ એક્સપ્રેસવે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેમાં 33 મોટા પુલ, 274 નાના પુલ, 65 ફ્લાયઓવર અને ૬ ટનલનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી લાંબો કસરા ઘાટ પર છે. આ હાઇવે 10 જિલ્લાઓ અને 390 ગામડાઓમાંથી પસાર થાય છે.

 Samruddhi Mahamarg : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ડ્રિમ પ્રોજેક્ટ 

જણાવી દઈએ કે સમૃદ્ધિ મહામાર્ગનો પહેલો તબક્કો નાગપુરથી શિરડી સુધીનો હતો, જેનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બીજો તબક્કો શિરડીથી ભરવીર (નાસિક) હતો, જેનું ઉદ્ઘાટન મે 2023માં તત્કાલીન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યું હતું, જ્યારે ત્રીજા તબક્કાનો ઉદ્ઘાટન માર્ચ 2024માં તત્કાલીન MSRDC મંત્રી દાદા ભૂસેએ કર્યો હતો.

આ એક્સપ્રેસ વેનું સત્તાવાર નામ હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ડ્રિમ પ્રોજેક્ટ છે, જેમને શરૂઆતના વર્ષોમાં જમીન સંપાદનનો વિરોધ સહન કરવો પડ્યો હતો. ખાસ વાત એ છે કે આ રસ્તો 10 જિલ્લાઓ અને 390 ગામડાઓમાંથી પસાર થાય છે. આશા છે કે આના દ્વારા મહારાષ્ટ્રમાં વેપાર, પરિવહન અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

 

 

Pakistan ministers admit failure ‘ભારત ક્યાં પહોંચી ગયું અને આપણે ક્યાં છીએ’, પાકિસ્તાનમાં રક્ષા અને ગૃહ મંત્રીએ સ્વીકારી નાકામી, શાહબાઝને ચેતવ્યા
Malayalam actor leaves BJP રાજકીય સમીકરણો બદલાયા BJPને અલવિદા કહીને હવે વિજયની પાર્ટી TVKની કેરળ કમાન સંભાળશે આ દિગ્ગજ અભિનેતા?
Amravati hospital fire અમરાવતીની હોસ્પિટલમાં વેન્ટિલેટર ફાટવાથી ભીષણ આગ, 3 બાળકો ભભૂકતી આગનો ભોગ બન્યા
 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Exit mobile version