Site icon

EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી, ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ.

News Continuous Bureau|Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના મુંબઈના ભાંડુપમાં આવેલા ઘરે પહોચી છે. તેમને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લઈ જઈ શકે છે. રાઉત 1034 કરોડ રૂપિયાના પાત્રા ચાલ કૌભાંડ અંતર્ગત તપાસના દાયરામાં છે. સવારે લગભગ 7.30 વાગ્યે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. મામલામાં ED સંજય રાઉતની શોધ અને પૂછપરછ કરવા માટે તેના ઘરે પહોંચી છે. EDની 3 ટીમો આજે દરોડા પાડી રહી છે. હાલમાં એક ટીમ સંજય રાઉતના ઘરે હાજર છે, જ્યારે અન્ય બે ટીમ અન્ય જગ્યાએ દરોડા પાડી રહી છે.

Join Our WhatsApp Community

તેમણે પોતાના ટ્વિટર હૈંડલ પર લખ્યું છે કે, મારે કોઈ કૌભાંડમાં લેવા દેવા નથી, હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઈને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે. હું શિવસેના માટે લડવાનું ચાલુ રાખીશું. તેમણે ઈડીની કાર્યવાહીને ખોટી ગણાવી છે. કહ્યું ખોટા પુરાવા છે. હું શિવસેના નહીં છોડુ, હું મરી જઈશ તો પણ સમર્પણ નહીં કરું.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version