Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો- બળવાખોરોએ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા માટે સંજય રાઉતને જવાબદાર ગણાવ્યા- જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

શિવસેનાના(Shiv Sena) ધારાસભ્યોના(MLAs) બળવાને કારણે મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi sarkar) લઘુમતીમાં આવી જતા મુખ્યમંત્રી પદેથી(CM Post) શિવસેના નેતા(Shiv Sena leader) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) બુધવારે મોડી રાતે રાજીનામું(Resignation) આપી દીધું હતું.  બળવાખોરીને કારણે ઠાકરેના રાજીનામું આપવાની ફરજ પડી છે ત્યારે નવાઈની વાત છે કે બળવાખોરે ઉદ્ધવના રાજીનામા માટે દુઃખ વ્યક્ત તો કર્યું હતું પણ સાથે જ તે માટે બળવાખોરો નહીં પણ સંજય રાઉત(Sanjay Raut) જવાબદાર હોવાનું કારણ આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ બળવાખોર ગ્રુપના પ્રવક્તા દીપક કેસરકરે(Deepak Kesarkar) ગોવાથી પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઉદ્ધવજીના રાજીનામાથી અમે ખુશ નથી, પરંતુ દુઃખી થયા છીએ. સરકારના પતન માટે અને ઉદ્ધવજીને રાજીનામું આપવું પડ્યું તે મટે સંજય રાઉત જ જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો :  કેન્દ્રને શિવસૈનિકોના રોષનો ડર- મહારાષ્ટ્રમાં કેન્દ્રીય સલામતી દળોની વધારાની કૂમક તૈનાત- જાણો વિગત

દીપક કેસરકરે કહ્યું હતું કે અમને અફસોસ એ વાતનો છે કે અમે ઉદ્ધવ ઠાકરેને કોંગ્રેસ(Congress) અને એનસીપીની(NCP) ચૂંગાલમાંથી છોડાવી શક્યા નથી અને તેને કારણે ઉદ્ધવજીએ રાજીનામું આપવું પડ્યું છે.
 

Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Exit mobile version