Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ-સીએમ વચ્ચે પત્ર દ્વારા થયેલા તું તું મૈ મૈ અંગે અમિત શાહના સ્ટેન્ડનું શિવસેનાએ કર્યું સ્વાગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

19 ઓક્ટોબર 2020

મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે રાજયમાં  મંદિરો ખોલવા બાબતે થયેલા વિવાદ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વલણનું શિવસેનાના સાંસદ સંજય રાઉતે સ્વાગત કર્યું છે.

અમિત શાહે ટિપ્પણી કરી હતી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખતી વખતે તેમના શબ્દો વધુ સારી રીતે પસંદ કરી શકયા હોત.

કોશ્યારીએ તાજેતરમાં જ ઠાકરેને રાજ્યમાં પૂજા સ્થળો ફરી શરૂ કરવા અંગે પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે શું શિવસેનાના પ્રમુખ "અચાનક બિનસાંપ્રદાયિક થઈ ગયા છે", રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન વચ્ચેના શબ્દો ઉશ્કેરણી જનક હતાં. આ અંગે પ્રતિક્રિયા આપતાં રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને જવાબદારી, સાવધાની સાથે બોલે છે. તેમણે કહ્યું કે, રાજકીય કંઈ નથી. શાહે જે કહ્યું તે ભારતના બંધારણને અનુરૂપ હતું.

નોંધનીય છે કે રાજભવન અને રાજ્યપાલનું કાર્યાલય એક બંધારણીય સંસ્થા છે અને તે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

Gujarat Maritime Tourism ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ, રાજ્યના ૧૭ લાઇટહાઉસ આધુનિક પ્રવાસન સુવિધાઓ સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ
Patan Charanka Solar Park પાટણના ચારણકા સોલાર પાર્કે ભારતની હરિત ઊર્જા ક્રાંતિમાં વરદાનરૂપ ભૂમિકા ભજવી, ગુજરાત બન્યું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી
Ganeshutsav Pandal Rules મંડપ બનાવવા ખાડા ખોદવા ભારે પડશે તંત્રની કડક ચેતવણી, મંડળો સામે લેવાશે દંડાત્મક પગલાં
Sharad Pawar NCP Meeting Absence શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની મહત્વપૂર્ણ બેઠકમાંથી મોટા નેતાની ગેરહાજરી; રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક અને ચર્ચાઓનો દોર શરૂ
Exit mobile version