Saras Mela 2025: સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી

Saras Mela 2025: આજકાલ મોટાભાગના લોકો પરફ્યુમનો પણ ઉપયોગ કરે છે. પરફ્યુમની સુગંધથી સમગ્ર દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે, લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં આવતા વિવિધ અંત્તર, પરફયુમ્સની ભારે બોલબાલા રહે છે. ત્યારે મલ્ટીનેશનલ પરફ્યુમ ઉત્પાદક કંપનીઓ સામે સ્વદેશી ગૃહઉદ્યોગો પણ કાઠું કાઢી રહ્યા છે.

News Continuous Bureau | Mumbai

Saras Mela 2025:  ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે લાખોની કમાણી કરે છેસુરતવાસીઓનો ‘ખૂબ સરસ’ સહયોગ મળ્યો, હવે હું દર વર્ષે આ મેળામાં આવીશઃ તિથિ વિશેષ

Join Our WhatsApp Community

Saras Mela 2025 Sisters of Janani Sakhi Mandal of Kolkata received support from the people of Surat at Sars Mela

 વિશ્વભરમાં પરફ્યુમનું બજાર હજારો-કરોડોનું છે. આજકાલ મોટાભાગના લોકો પરફ્યુમનો પણ ઉપયોગ કરે છે. પરફ્યુમની સુગંધથી સમગ્ર દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે, લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં આવતા વિવિધ અંત્તર, પરફયુમ્સની ભારે બોલબાલા રહે છે. ત્યારે મલ્ટીનેશનલ પરફ્યુમ ઉત્પાદક કંપનીઓ સામે સ્વદેશી ગૃહઉદ્યોગો પણ કાઠું કાઢી રહ્યા છે. ખાસ કરીને સખીમંડળની બહેનો પણ પોતાની મહેનત, સૂઝબૂઝ અને કલાના માધ્યમથી પરફ્યુમનું ઉત્પાદન કરી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે પશ્વિમ બંગાળની જનની સખી મંડળની બહેનો. 

અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં કલકત્તાના નોર્થ પરગણામાંથી આવેલા તિથિ વિશેષ કહે છે કે, સરકારની સહાયથી અમે ૧૦ બહેનોએ સાથે મળીને જનની સખી ગ્રુપ બનાવ્યું છે. અમે કોઈ પણ જાતના કેમિકલ વિના પરફ્યુમ બનાવીને વેચાણ કરીએ છીએ.

આ સમાચાર પણ વાંચો : Namo Sakhi Sangam Mela: ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન, કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા આપવમાં આવશે માહિતી .

 રજનીગંધા, ગુલાબ, ચંદન, વેનિલા, ચમેલી, જાસ્મીન, મોગરા, સુખડ જેવા ૩૪ પ્રકારના પરફ્યુમ બનાવીએ છીએ. જે ફ્લેવરનું પરફ્યુમ બનાવવાનું હોય તેને પ્રોસેસ કરીને અર્ક છુટો પાડીને સમગ્ર પ્રક્રિયા બાદ પરફ્યુમ તૈયાર થાય છે. અમારા અત્તરની સુગંધ દિવસભર રહે છે.

 

તિથિ વિશેષ કહે છે કે, અમે રૂા.૧૫૦ થી લઈને રૂા.૬૫૦ સુધીના પરફ્યુમ ઉત્પાદિત કરીએ છીએ. સરકાર દ્વારા આયોજિત એક્ઝિબીશનમાં અમને વિનામૂલ્યે સ્ટોલ તથા રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેના કારણે અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. 

સુરતવાસીઓનો ‘ખૂબ સરસ’ સહયોગ મળ્યો, હવે હું દર વર્ષે આ મેળામાં આવીશ એમ જણાવી છ દિવસમાં રૂ.૫૦ હજારનું વેચાણ થઈ ચુકયું હોવાનું જણાવે છે. મોટા ભાગના પરફ્યુમ ખુટી પડતા ફરી મેં પ્લેન દ્વારા પાર્સલ મંગાવ્યું છે. સરકારનો આભાર વ્યકત કરતા ‘અમારી જેવી બહેનોને પ્લેટફોર્મ આપીને સાચા અર્થમાં આત્મનિર્ભર કરી છે’ એમ તેઓ જણાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version