Site icon News Continuous Bureau | Mumbai

શ્રીનગરમાં સ્થાનિકો અને પ્રવાસીઓને મોટી ભેટ, આ બૅન્કે દાલ સરોવરમાં ખોલ્યું તરતું ATM; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
જમ્મુ અને કાશ્મીર પર્યટકોનું મુખ્ય આકર્ષણ છે. પ્રવાસીઓ શ્રીનગરના દાલ સરોવરની વારંવાર મુલાકાત લેતા રહે છે. દાલ સરોવર પર હાઉસબોટ પણ પ્રવાસીઓને આકર્ષે છે. હવે SBIનું તરતું ATM પણ એમાં એક અનોખું આકર્ષણ ઉમેરાયું છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક SBIએ દાલ સરોવરમાં દેશનું પ્રથમ તરતું ATM શરૂ કર્યું છે. આ તરતું  ATM સ્થાનિકો તેમ જ પ્રવાસીઓમાં લોકપ્રિય બની રહ્યુ છે. બૅન્કે કહ્યું કે તેણે પ્રવાસીઓ અને સ્થાનિકોની સુવિધા માટે ફ્લોટિંગ ATM શરૂ કર્યું છે.  

Join Our WhatsApp Channel

SBIએ એક ટ્વીટમાં માહિતી આપી હતી કે એનું તરતું ATM શ્રીનગરના દાલ  સરોવરની મુલાકાત લેનારા પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકોની રોકડની જરૂરિયાતો પૂરી કરશે. SBIના ચૅરમૅન દિનેશકુમારે ખુદ આ તરતા ATMનું ઉદ્ઘાટન કર્યું. આ ATM હાઉસબોટમાં ખોલવામાં આવ્યું છે. 

જ્યારે SBIના ચૅરમૅન આ ATMનું ઉદ્ઘાટન કરવા શ્રીનગર પહોંચ્યા ત્યારે તેઓ શ્રીનગરની SBI શાખામાં પણ ગયા હતા. SBIની આ શાખા એ સમયથી કાર્યરત છે, જ્યારે SBI ઇમ્પિરિયલ બૅન્ક ઑફ ઇન્ડિયા હતી. આ જ પ્રસંગે તેમણે SBIની તાંગમાર્ગ શાખાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જે ગુલમર્ગમાં આવતા પ્રવાસીઓને બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડશે.

શ્રીનગરના દાલ સરોવરમાં તરતી હાઉસબોટ અને શિકારાની સવારી દરેકને મોહિત કરે છે. સાથે જ SBIનું તરતું ATM એક નવું આકર્ષણ છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીનગરના દાલ તળાવમાં પહેલાંથી જ દેશમાં એકમાત્ર તરતી પોસ્ટ ઑફિસ છે. આ પણ અહીં આવનારાઓને હંમેશાં આકર્ષિત કરે છે.

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version