Site icon News Continuous Bureau | Mumbai

અરનબ v/s ઉધ્ધવ સરકાર : મુંબઈ હાઇકોર્ટે અરનબને જામીન ન આપી નાગરિક સ્વતંત્રતાનો ભંગ કર્યો — સર્વોચ્ચ ન્યાયાલયની ખરીખરી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
27 નવેમ્બર 2020

રિપબ્લિક ટીવીના એન્કર અરનાબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસે કરેલી આત્મહત્યાના પ્રકરણ કેસમાં, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું કે અર્ણવ ગોસ્વામીને જામીન ન આપીને મહારાષ્ટ્ર ની હાઇકોર્ટે ભૂલ કરી છે.

Join Our WhatsApp Channel

ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટે એ જોવું જરૂરી છે કે આરોપીઓ પુરાવા સાથે ચેડા ના કરી શકે, અથવા આરોપી ભાગી શકે છે કે નહીં, અહીં વાત નાગરિકની સ્વતંત્રતાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરનબને, તેની ટીવી ચેનલમાં વ્યક્ત કરેલા મંતવ્યો માટે મહારાષ્ટ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે. એવી અરનબની ફરિયાદ સામે નાગરિકની સ્વતંત્રતાની સુરક્ષા નિભાવવામાં મુંબઇ હાઇકોર્ટ નિષ્ફળ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે  વધુમાં કહ્યું કે અદાલતોએ સુનિશ્ચિત કરવું પડશે કે રાજ્યો, નાગરિકોને હેરાન કરવા અથવા તેમની સ્વતંત્રતાને જોખમમાં મૂકવાના સાધન તરીકે ગુનાહિત કાયદાનો ઉપયોગ ન કરે. આમ કહીને જ ગઈ 11 નવેમ્બરના રોજ, ટોચની કોર્ટે અર્ણવ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા હતા. 

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version