Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટકમાં હિજાબને લઈને રાજકરણઃ સ્કૂલ, કોલેજ આટલા દિવસ રહેશે બંધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

હિજાબને લઈને વધી રહેલા વિવાદને કારણે કર્ણાટકમાં શાળા અને કોલેજો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્ણાટકના મુખ્યમંત્રીએ લીધો છે. તેમણે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરતા કહ્યું કે તે રાજકીય પક્ષોના હાથનું રમકડું ન બને.

 કર્ણાટકની કેટલીક કોલેજોમાં હિજાબના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આથી યુવતીઓએ આંદોલન શરૂ કર્યું હતું. આનો જવાબ આપવા માટે હિન્દુત્વવાદી સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ત્યારબાદ બંને પક્ષના વિદ્યાર્થીઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. કેટલીક શાળાઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ પછી કર્ણાટક સરકારે ત્રણ દિવસ માટે શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે ટ્વીટ કર્યું છે કે કર્ણાટકમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે એક જગ્યાએ ભગવો ઝંડો ફરકાવવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ ઓછામાં ઓછા એક સપ્તાહ માટે બંધ રાખવી પડશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક નુકસાનને ટાળવા માટે વર્ગો ઓનલાઈન ચાલુ રાખવા જોઈએ.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

દરમિયાન, કર્ણાટક હાઈકોર્ટે હિજાબ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ નકારવાના મેનેજમેન્ટના નિર્ણય સામેની અરજી સ્વીકારી લીધી છે. આ અરજી ઉડ્ડપીની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજના પાંચ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમને હિજાબ પહેરવા બદલ કોલેજમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું એક જૂથ વિદ્યાર્થીઓના બીજા જૂથ પર હુમલો કરે છે, હિંસા કરે છે, આ મામલામાં વિદ્યાર્થીઓ માટે રસ્તા પર ઉતરવું એ સારો વિચાર નથી. આ કેસની આગામી સુનાવણી બુધવારે બપોરે 2.30 કલાકે થશે, એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

ભાજપને 18 સાંસદ આપનારા મહારાષ્ટ્રનું આ તો અપમાનઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના આ નેતાએ વડા પ્રધાન સમક્ષ વ્યક્ત કરી નારાજગી જાણો વિગત

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version