Site icon

મહારાષ્ટ્રમાં આ ભાગોમાં આઠમાથી બારમા ધોરણ માટે શાળા શરૂ; આ છે નિયમાવલી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્યના કોરોનામુક્ત ભાગોમાં આજથી શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આઠમાથી બારમા ધોરણ માટે જ શાળા શરૂ કરવાની પરવાનગી સરકારે આપી છે. જોકેવિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખતાં ચુસ્ત નિયમો બનાવાયા છે. આ ઉપરાંત એક મહત્ત્વની વાત એ છે કે જે ગામમાં ઓછામાં ઓછા એક મહિનામાં એકપણ કોરોનાનો દર્દી મળ્યો ન હોય એવા જ ભાગમાં શાળા શરૂ થઈ શકશે.

શાળા શરૂ કરવા માટે સરપંચની અધ્યક્ષતા હેઠળ ગ્રામપંચાયતને નિર્ણયો લેવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ કરતાં પહેલાં શિક્ષકોને પ્રાથમિક ધોરણે રસી આપવાની પણ યોજના બનાવી છે. શાળા શરૂ કરતી વખતે બાળકોને તબક્કાવાર શાળામાં બોલાવવામાં આવશે. કેન્દ્રીય અને રાજ્ય સરકારોએ સૂચવ્યું છે કે શાળા શરૂ કરતી વખતે આરોગ્ય સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

ડોમ્બિવલીની એક ઇમારતમાં ભીષણ આગ લાગી; બચાવકાર્ય શરૂ, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના નિયમ મુજબ એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી અને વર્ગમાં એકસાથે ૧૫-૨૦ વિદ્યાર્થીઓ જ હોવા જોઈએ. શાળાના વિદ્યાર્થીઓએ વારંવાર સાબુથી હાથ ધોવા સાથોસાથ માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જો કોઈ વિદ્યાર્થીને કોરોનાનાં લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ઘરે મોકલી કોરોના ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version