Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: અયોધ્યના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે અભિષેક બાદ કહ્યું હુ દુનિયાનો…

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિર ભક્તોના પ્રવેશ માટે ખુલ્લુ મુકાયુ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે મૂર્તિકાર અરુણ યોગીરાજ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની ભાવવિભોર થઈ ગયા હતા..

Sculptor Arun Yogiraj, who created the idol of Ram Lalla in the Ram mandir of Ayodhya, said after the anointing

Sculptor Arun Yogiraj, who created the idol of Ram Lalla in the Ram mandir of Ayodhya, said after the anointing

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: ભગવાન રામલલા આજે તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે, આ સાથે 500 વર્ષની રાહનો અંત આવ્યો છે. PM મોદીની હાજરીમાં સોમવારે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલાની ( Ram lalla ) નવી મૂર્તિનો અભિષેક સંપન્ન થયો હતો અને દેશ-વિદેશના લાખો રામ ભક્તો તેના સાક્ષી બન્યા હતા. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની પ્રથમ ઝલક પણ જોવા મળી છે, જેને જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા છે. ભગવાન રામની મૂર્તિ અરુણ યોગીરાજ ( Arun Yogiraj ) દ્વારા બનાવવામાં આવી છે. તેણે પોતાને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણાવ્યો છે. 

Join Our WhatsApp Channel

અરુણ યોગીરાજે એક અહેવાલમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે હું આ પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. ક્યારેક મને લાગે છે કે જાણે હું સપનાની કોઈ દુનિયામાં સફર કરી રહ્યો છું. “

 આ દિવસને ઐતિહાસિક બનાવવામાં અમને 500 વર્ષ લાગ્યા: પીએમ મોદી..

રામલલાની નવી મૂર્તિ ( Ram lalla Idol ) ગયા અઠવાડિયે મંદિરની અંદરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી.મૂર્તિમાં રામલલાને પાંચ વર્ષના બાળ સ્વરૂપમાં કમળ પર ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. અરુણ યોગીરાજ દ્વારા કાળા પથ્થરમાંથી ( black stone ) કોતરવામાં આવેલી 51 ઇંચ અને 200 કિલોની પ્રતિમાનો રામ મંદિરમાં અભિષેક પૂર્ણ થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની દિવસમાં આટલી વખત થશે આરતી.. આરતીમાં પ્રવેશ માટે મળશે પાસ..

‘સિયાવર રામચંદ્ર કી જય’ અને ‘જય શ્રી રામ’ ના નારા સાથે સોમવારે અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 22 જાન્યુઆરી 2024નો આ એક નવા પ્રકાશની આશ સાથે ઉગ્યો છે અને આ એક નવા યુગની ઉત્પત્તિ છે. વડાપ્રધાને કહ્યું, “અમારા રામલલા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલા હવે આ દિવ્ય મંદિરમાં રહેશે. મને દ્રઢ આસ્થા અને અપાર શ્રદ્ધા છે કે જે કંઈ પણ થયું છે, દેશના અને વિશ્વના દરેક ખૂણે રામ ભક્તો તેને અનુભવતા જ હશે.” તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી 2024નો આ સૂર્ય એક અદ્ભુત આભા લઈને આવ્યો છે. આજની તારીખ કોઈ સામાન્ય તારીખ નથી, પરંતુ સમયના નવા ચક્રની ઉત્પત્તિ છે. તેમણે કહ્યું કે, “આ ક્ષણ દિવ્ય છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Exit mobile version