Site icon News Continuous Bureau | Mumbai

સી-પ્લેનને ગ્રહણ: આ કારણસર સી-પ્લેન સેવા હવેથી અઠવાડિયામાં આટલા દિવસ બંધ રહેશે…  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

04 નવેમ્બર 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગુજરાતમાં સી-પ્લેન સેવા આમ તો તેમનાં જ હસ્તે થોડા દિવસો પૂર્વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસનને વેગ આપશે તેવા હેતુ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, સી-પ્લેન સેવાને જેટલી મળવી જોઇતી હતી તેવી પ્રારંભીક સફળતા નથી મળી રહી તેવું સી-પ્લેનનાં બુકીંગ આંકડા પરથી કહી શકાય છે. ત્યારે સી-પ્લેન સેવા બંધ રહેશે તેવી વિગતો સામે આવી રહી છે.

 

પ્રાપ્ત જાણકારી અનુસાર, સી પ્લેન હવે સપ્તાહના સાતેય દિવસ નહીં પણ માત્ર પાંચ દિવસ જ ઉડાન ભરશે. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સને કારણે સી પ્લેન ૪-૫ નવેમ્બરના બંધ રહેશે. બીજું એરક્રાફ્ટ આવે નહીં ત્યાં સુધી સી પ્લેન આ જ રીતે સપ્તાહમાં બે દિવસ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસની ઉડાન પછી બે દિવસ માટે સી-પ્લેન સેવા બંધ રાખવામાં આવશે. દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક લેવામા આવશે.

CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
Supreme Court Shiv Sena Hearing ‘૫ માંથી ૩ ધારાસભ્યો તૂટે એટલે શું આખો પક્ષ જ સોંપી દેવાનો?’ સુપ્રીમ કોર્ટમાં વકીલનો તીખો સવાલ
Exit mobile version