Site icon

ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ યથાવત્, કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર વધારવામાં આવી સુરક્ષા; જુઓ વીડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના મુંબઈના ઘરની બહાર શિવસૈનિકોએ તોફાન કરવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ રાણેના નિવેદન બાદ શિવસેનાએ મુંબઈ, નાસિક અને પુણેમાં મોરચો ખોલ્યો છે. સાથે જ રાણેના નિવેદન પર ચાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવવામાં આવી છે. આ સમગ્ર મામલાને જોતાં પોલીસે નારાયણ રાણેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.   

ઉલ્લેખનીય છે કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ દાવો કર્યો હતો કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં ઠાકરે એ ભૂલી ગયા કે દેશની આઝાદીને કેટલાં વર્ષ થયાં છે. આ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને એ પણ નથી ખબર કે આપણે આઝાદ થયાને કેટલાં વર્ષ થયાં છે. ભાષણ દરમિયાન તે પાછળ વળીને આ અંગે પૂછતા જ રહ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમના કાન નીચે એક થપ્પડ લગાવી દેત… આ નિવેદન સામે આવતાંની સાથે જ શિવસૈનિકો વીફર્યા હતા અને ઠેરઠેર હોબાળો મચાવી દીધો હતો.

રાડો કાંઇ પત્યો નથી : શિવસેનાના આ નેતા ના ઘર પર મોડી રાત્રે થયો હુમલો. જાણો વિગત

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version