Site icon

ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ યથાવત્, કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર વધારવામાં આવી સુરક્ષા; જુઓ વીડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના મુંબઈના ઘરની બહાર શિવસૈનિકોએ તોફાન કરવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ રાણેના નિવેદન બાદ શિવસેનાએ મુંબઈ, નાસિક અને પુણેમાં મોરચો ખોલ્યો છે. સાથે જ રાણેના નિવેદન પર ચાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવવામાં આવી છે. આ સમગ્ર મામલાને જોતાં પોલીસે નારાયણ રાણેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.   

ઉલ્લેખનીય છે કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ દાવો કર્યો હતો કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં ઠાકરે એ ભૂલી ગયા કે દેશની આઝાદીને કેટલાં વર્ષ થયાં છે. આ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને એ પણ નથી ખબર કે આપણે આઝાદ થયાને કેટલાં વર્ષ થયાં છે. ભાષણ દરમિયાન તે પાછળ વળીને આ અંગે પૂછતા જ રહ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમના કાન નીચે એક થપ્પડ લગાવી દેત… આ નિવેદન સામે આવતાંની સાથે જ શિવસૈનિકો વીફર્યા હતા અને ઠેરઠેર હોબાળો મચાવી દીધો હતો.

રાડો કાંઇ પત્યો નથી : શિવસેનાના આ નેતા ના ઘર પર મોડી રાત્રે થયો હુમલો. જાણો વિગત

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version