Site icon

ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ યથાવત્, કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર વધારવામાં આવી સુરક્ષા; જુઓ વીડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના મુંબઈના ઘરની બહાર શિવસૈનિકોએ તોફાન કરવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ રાણેના નિવેદન બાદ શિવસેનાએ મુંબઈ, નાસિક અને પુણેમાં મોરચો ખોલ્યો છે. સાથે જ રાણેના નિવેદન પર ચાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવવામાં આવી છે. આ સમગ્ર મામલાને જોતાં પોલીસે નારાયણ રાણેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.   

ઉલ્લેખનીય છે કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ દાવો કર્યો હતો કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં ઠાકરે એ ભૂલી ગયા કે દેશની આઝાદીને કેટલાં વર્ષ થયાં છે. આ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને એ પણ નથી ખબર કે આપણે આઝાદ થયાને કેટલાં વર્ષ થયાં છે. ભાષણ દરમિયાન તે પાછળ વળીને આ અંગે પૂછતા જ રહ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમના કાન નીચે એક થપ્પડ લગાવી દેત… આ નિવેદન સામે આવતાંની સાથે જ શિવસૈનિકો વીફર્યા હતા અને ઠેરઠેર હોબાળો મચાવી દીધો હતો.

રાડો કાંઇ પત્યો નથી : શિવસેનાના આ નેતા ના ઘર પર મોડી રાત્રે થયો હુમલો. જાણો વિગત

 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version