ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત પર દુશ્મન દેશને સમર્થન કરનાર ભારતીય લોકો સામે યોગી સરકારે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર પ્રદેશ પોલીસે અલગ અલગ જિલ્લામાં પાકિસ્તાનના સમર્થનમાં આવેલા લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
આ ઉપરાંત દેશદ્રોહ અંતર્ગત કેસ ચલાવવામાં આવશે. જેમાં આગ્રામાં ત્રણ, બરેલીમાં ત્રણ અને લખનૌમાં એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે દુબાઇમાં ટી-20 વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની ભારત સામે જીત થઇ હતી. 2007થી લઇ 2016 સુધી ભારત દર વખતે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે.
આખરે પકડાઈ ગયો કિરણ ગોસાવી, આ કેસમાં પુણે પોલીસે કરી ધરપકડ; જાણો વિગત..
