Site icon

દક્ષિણ મુંબઈની ગગનચુંબી ઇમારતોમાં સ્વૈચ્છીક લોકડાઉન ટ્રેંડ કરી રહ્યું છે. જાણો રહીશોએ કેમ આ નિર્ણય લેવો પડ્યો….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 જુલાઈ 2020

મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉન ધીમે ધીમે હટાવી લીધું છે પરંતુ, દક્ષિણ મુંબઇની ગગનચુંબી ઇમારતો ના રહેવાસીઓએ હવે સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા માટે લેવાયો છે. કોલાબા, કફ પરેડ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ તથા નરીમન પોઇન્ટની કેટલીક હાઉસિંગ સોસાયટીએ આ લોકડાઉન લાદયો છે. આ પોશ સોસાયટીમાં રહીશોના બહાર આવવા-જવા પર તેમજ મુલાકાતીઓ અને ઘર નોકર-ચાકરો ના પ્રવેશ પર કડક નિયંત્રણો મુકાયા છે. સ્વેચ્છિક લોકડાઉન થી દક્ષિણ મુંબઈના રહીશો સહમત છે કારણ કે, આ વોર્ડમાં પચાસ ટકાથી પણ વધુ સિનિયર સિટીઝનો રહે છે.

 

જોકે રહીશો પર સંપૂર્ણ નિયંત્રણ શક્ય નથી અને તેનાથી ખૂબ ગૂંચવાડો ઊભો થશે એ વાત પણ સોસાયટીના લોકો સમજી રહ્યા છે. પરંતુ, કેટલીક સોસાયટીમાં આ અમલ વિવાદાસ્પદ બન્યો છે. આ વિવાદ બાદ કોલાબા મતવિસ્તારના વિધાનસભ્યો એ કહ્યું કે "રાજ્ય સરકારે કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ માટે વિગતવાર ગાઈડલાઈન જારી કરવી જોઈએ. સહકારી કોરોના કાળ દરમ્યાન સોસાયટીઓના કામકાજ માટે હાલ કોઈ ગાઇડલાઇન ન હોવાથી લોકો અવઢવમાં છે કે કોરોનાને નાથવા અને એનાથી બચવા શું કરવું યોગ્ય રહેશે." આ તો સારું છે કે દક્ષિણ મુંબઈની ઘણી સોસાયટી ના રહેવાસીઓ કોરોનાના ચેપથી બચવા પોતાની મેળે જ પ્રયાસ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો દક્ષિણ મુંબઇની ગગનચુંબી ઇમારતો માં થયેલ સ્વેચ્છાએ લોકડાઉન પાળવું આજકાલ ઇન થિંગ બન્યું છે, ટ્રેન્ડ કરી રહ્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version