Site icon News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈની ગગનચુંબી ઇમારતોમાં સ્વૈચ્છીક લોકડાઉન ટ્રેંડ કરી રહ્યું છે. જાણો રહીશોએ કેમ આ નિર્ણય લેવો પડ્યો….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 જુલાઈ 2020

મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉન ધીમે ધીમે હટાવી લીધું છે પરંતુ, દક્ષિણ મુંબઇની ગગનચુંબી ઇમારતો ના રહેવાસીઓએ હવે સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા માટે લેવાયો છે. કોલાબા, કફ પરેડ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ તથા નરીમન પોઇન્ટની કેટલીક હાઉસિંગ સોસાયટીએ આ લોકડાઉન લાદયો છે. આ પોશ સોસાયટીમાં રહીશોના બહાર આવવા-જવા પર તેમજ મુલાકાતીઓ અને ઘર નોકર-ચાકરો ના પ્રવેશ પર કડક નિયંત્રણો મુકાયા છે. સ્વેચ્છિક લોકડાઉન થી દક્ષિણ મુંબઈના રહીશો સહમત છે કારણ કે, આ વોર્ડમાં પચાસ ટકાથી પણ વધુ સિનિયર સિટીઝનો રહે છે.

 

જોકે રહીશો પર સંપૂર્ણ નિયંત્રણ શક્ય નથી અને તેનાથી ખૂબ ગૂંચવાડો ઊભો થશે એ વાત પણ સોસાયટીના લોકો સમજી રહ્યા છે. પરંતુ, કેટલીક સોસાયટીમાં આ અમલ વિવાદાસ્પદ બન્યો છે. આ વિવાદ બાદ કોલાબા મતવિસ્તારના વિધાનસભ્યો એ કહ્યું કે "રાજ્ય સરકારે કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ માટે વિગતવાર ગાઈડલાઈન જારી કરવી જોઈએ. સહકારી કોરોના કાળ દરમ્યાન સોસાયટીઓના કામકાજ માટે હાલ કોઈ ગાઇડલાઇન ન હોવાથી લોકો અવઢવમાં છે કે કોરોનાને નાથવા અને એનાથી બચવા શું કરવું યોગ્ય રહેશે." આ તો સારું છે કે દક્ષિણ મુંબઈની ઘણી સોસાયટી ના રહેવાસીઓ કોરોનાના ચેપથી બચવા પોતાની મેળે જ પ્રયાસ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો દક્ષિણ મુંબઇની ગગનચુંબી ઇમારતો માં થયેલ સ્વેચ્છાએ લોકડાઉન પાળવું આજકાલ ઇન થિંગ બન્યું છે, ટ્રેન્ડ કરી રહ્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Monsoon active again મેઘરાજા ફરી મન મૂકીને વરસશે ૨૦ થી ૨૪ ઓગસ્ટ વચ્ચે આ રાજ્યોમાં ધબધબાટી બોલાવશે…
Anant Ambani Rescues Youth ૫ વર્ષથી તળાવમાં રહેવા મજબૂર હતો યુવક, અનંત અંબાણીએ કર્યું કંઈક એવું કે સૌ કોઈ કરી રહ્યા છે વખાણ
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Gujarat Maritime Tourism ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ, રાજ્યના ૧૭ લાઇટહાઉસ આધુનિક પ્રવાસન સુવિધાઓ સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ
Exit mobile version