Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવારે હૉટેલિયર્સ અને રિટેલરોને આપી આ ખાતરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાષ્ટ્રવાદી કૉન્ગેસના અધ્યક્ષ શરદ પવારે હૉટેલિયર્સ અને રિટેલરોને રાજ્ય સરકાર દ્વારા દૈનિક ઑપરેટિંગ કલાકો લંબાવાની માગ અંગે ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી છે. ઇન્ડિયન હૉટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન અને ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર વેલ્ફેર ઍસોસિયેશન અનુસાર, પવારે આ મુદ્દે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત સંબંધિત અધિકારીઓને વાત કરી છે.

દરમિયાન, અહેવાલો સૂચવે છે કે પવાર સાથેની તેમની વાતચીત પછી મુખ્ય પ્રધાને મંગળવારે ટાસ્ક ફોર્સ, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને અન્ય હોદ્દેદારોની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં રેસ્ટોરાં, બાર અને રિટેલરોની હાલની સાંજના ચાર વાગ્યેની મુદત વધારવાની માંગ અંગે નિર્ણય લેવામાં આવશે. આ બેઠકના પરિણામના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

રાજધાની દિલ્હીમાં રાજનૈતિક ગતિવિધિ તેજ, આવતી કાલે શરદ પવારના નેતૃત્વ હેઠળ ૧૫ પાર્ટીના નેતા ભેગા થશે ; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે મુંબઈ લેવલ વન માટે લાયક હોવા છતાં, મુંબઈમાં લેવલ 3 પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમાં મૉલ્સ, મલ્ટિપ્લેક્સ ખૂલશે નહિ. રેસ્ટોરાંમાં બેસીને ખાવાની પણ સાંજે ચાર વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે અને શનિવારે અને રવિવારે બંધ રાખવા પણ નિર્દેશ કરાયો છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version