Site icon News Continuous Bureau | Mumbai

હવે સાવરકર પર ટિપ્પણી નહીં કરે રાહુલ ગાંધી, શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો

પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોથી ઘેરાયેલા રહે છે. હાલમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં વીર વિનાયક દામોદર સાવરકર પર ટિપ્પણી કરી હતી, જેના પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

Sharad Pawar brokers peace between Congress, Uddhav Thackeray faction

હવે સાવરકર પર ટિપ્પણી નહીં કરે રાહુલ ગાંધી, શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો

  News Continuous Bureau | Mumbai

પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોથી ઘેરાયેલા રહે છે. હાલમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં વીર વિનાયક દામોદર સાવરકર પર ટિપ્પણી કરી હતી, જેના પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તેની અસર એટલી દેખાઈ કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હતી. ત્યારે આ તકનો લાભ ઉઠાવીને ભાજપ ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ પર આક્રમક બની છે. જો કે, સમયને સમજીને શરદ પવારે એન્ટ્રી લઈને મામલો થાળે પાડ્યો છે.

Join Our WhatsApp Channel

શરદ પવારે મામલો ઉકેલ્યો

એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે બેઠક યોજી હતી. આ બેઠક મુખ્યત્વે કોંગ્રેસ અને શિવસેના પક્ષ વચ્ચેની તિરાડને ખતમ કરવા માટે હતી. બંને નેતાઓની મુલાકાત બાદ રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પરથી સાવરકર સંબંધિત તમામ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બેઠકમાં એ વાત સામે આવી હતી કે રાહુલે સીધું ટ્વીટ નથી કર્યું, પરંતુ પાર્ટીના સમર્થકોની ટ્વીટને રીટ્વીટ કરવામાં આવી હતી. હવે રાહુલ ગાંધીના હેન્ડલ પર સાવરકર સંબંધિત કોઈ ટ્વીટ નથી.

આ સમાચાર પણ વાંચો :  2023માં કર્ણાટક ચૂંટણીમાં કોણ જીતશે? જાણો જાતિ સમીકરણથી લઈને બધું

રાહુલ અને સોનિયાએ ખાતરી આપી

આ બેઠક બાદ સંસદ પરિસરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને શિવસેના સાંસદ રાઉતની સૌહાર્દપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સંજય રાઉતને ખાતરી આપવામાં આવી હતી કે હવે સાવરકર વિશે કોઈ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવશે નહીં. બીજી તરફ પવારે કહ્યું કે કોંગ્રેસે તેને પોતાની વિચારધારા સુધી સીમિત રાખવું જોઈએ. ત્રણેય પક્ષો માત્ર વૈચારિક મતભેદોને કારણે અલગ છે, નહીંતર એક જ પક્ષ હોત.

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version