Site icon News Continuous Bureau | Mumbai

શું ફરી એકવાર સંકટમોચક બનશે શરદ પવાર- ઉદ્ધવ ઠાકરે સાથે મિટિંગ પછી રાજનીતિનું એવું પતું ઉતર્યા કે એકનાથ શિંદે પણ વિચારતા થઈ ગયા- જાણો શરદ પવારના માસ્ટર પ્લાન વિશે

Uddhav Thackeray meets Sharad Pawar

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ? ઉદ્ધવ ઠાકરેની શરદ પવાર સાથેની મુલાકાત બાદ આજે બંને મોટા નેતાઓ ફરી મુલાકાત કરશે

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં ઘેરી બનેલી કટોકટી વચ્ચે શરદ પવારે(NCP chief Sharad Pawar) દિલ્હી ખાતે નિવેદન આપ્યું હતું કે હાલ શિવસેનામાં આંતરિક લડાઈ થઈ છે જેનાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ને કોઈ નિસ્બત નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે લડાઈ ગમે તેટલી ઘેરી બને પરંતુ મહાવિકાસ આઘાડી(MVA Govt)ની સરકાર જેમની તેમ રહેશે. હવે આ દિશામાં શરદ પવારે પગલાં ઉચકવાના શરૂ કર્યા છે. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે મિટિંગ કરીને પોતાના નિકટવર્તી નેતાઓને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી(BJP)નો દાવ ઊંધો પાડવા માટે એકનાથ શિંદે(Eknath Shinde) ને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ તેમજ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપીને પાર્ટી સંભાળવી જોઈએ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ

આ માટે શરદ પવારે હિલચાલ શરૂ કરી દીધી છે અને પોતાનો સંદેશો એકનાથ શિંદે સુધી પહોંચાડી રહ્યા છે કે તેઓ પોતે સીધા ગવર્નર (governor) પાસે પહોંચી જાય અને મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લે. આ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમને સમર્થન આપશે અને સત્તા સ્થાપનનો માર્ગ મોકળો થશે. બીજી તરફ શિવસેના પાર્ટી ના બે ટુકડા થતા બચી જશે. શરદ પવારની આ ઓફર ગમે તે નેતાને પીગળાવી દે તેવી છે. હવે જોવાનું એ રહે છે કે એકનાથ શિંદે આ સંદર્ભે શું પ્રતિભાવ આપે છે.

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version